કોરોના વાયરસના સંક્રમણના કારણે દુનિયામાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. બીજા નંબરે બ્રાઝિલ અને ત્રીજા નંબરે 4 લાખ મોત સાથે ભારતનો નંબર આવે છે. પ્રભાવિત દેશોથી ભારતની સ્થિતિ સારી છે.
દેશમાં કોરોના સંક્રમણથી સ્થિતિ કંટ્રોલમાં
ભારતમાં કુલ 4 લાખ કોરોના દર્દીના મોત
મૃત્યુઆંકમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
કોરોના વાયરસની બીજી લહેરથી ભારતમાં સંક્રમિતોના મોતનો આંક 4 લાખને પાર થયો છે. ભારત સિવાય બ્રાઝિલ અને અમેરિકા 2 દેશ છે જ્યાં 4 લાખથી વધારે દર્દીના મોત થયા છે. ભારતની તુલનામાં આ 2 દેશણાં મોતની સંખ્યામાં લગભગ 1 લાખથી વધારેનું અંતર છે. દેશમાં ગુરુવારે 700 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમેરિકામાં કોરોનાથી સૌથી વધારે મોત
કોરોના સંક્રમણના કારણએ દુનિયામાં સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 6 લાખ 20 હજાર 645 દર્દીના મોત થયા છે. આ સિવાય બીજા નંબરે બ્રાઝિલનો વારો છે. અહીં 5 લાખ 20 હજાર 189 લોકોના મોત થયા છે. આ 3 રાષ્ટ્રો સિવાય મેક્સિકોમાં 2 લાખથી વધારે લોકોના મોત થયા છે. તો પેરુમાં મોતનો આંક 2 લાખ પહોંચવામાં છે.
કોરોનાના કારણે 10 દેશોમાં મોતનો આંક વધારે છે તેમાં મેક્સિકોમાં 2.3 લાખ મોત, પેરુમાં 1.9 લાખ મોત, રશિયામાં 1.3 લાખ મોત, બ્રિટનમાં 1.2 લાખ મોત, ઈટાલીમાં 1.2 લાખ મોત, ફ્રાન્સમાં 1.1 લાખ મોત, કોલંબિયામાં 1 લાખથી વધારે મોત થયા છે. ભારતમાં 4 લાખ મોત સાથે વિશ્વમાં ત્રીજા નંબરે છે. આ આંકડા વર્લ્ડોમીટરના આધારે લેવામાં આવ્યા છે.
ભારતમાં વેક્સીનેશનનો આંક 35 કરોડને પાર
મળતી માહિતી અનુસાર દેશમાં કોરોના વેક્સીનેશનની વાત કરીએ તો 35 કરોડથી વધારે લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. કોવિન એપના આંકડાથી આ માહિતિ મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 18-44 વર્ષની ઉંમરમાં 9.61 કરોડ ડોઝ અપાયા છે. સાંજે 7 વાગ્યા સુધી દેશમાં ગુરુવારે 38.17 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. દેશમાં 18-44ની ઉંમરના કુલ મળીને 9 કરોડ 38 લાખ 32 હજાર 139 લોકો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે તો 22 લાખ 68 હજાર 517 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.