દેશની અડધી પ્રજા કોઇના કોઇ પ્રકારે લોકડાઉનમાં જીવી રહી છે. દેશના કેટલાંક ભાગમાં સંપૂર્ણ લોકડાઉન છે, તો ક્યાંક અઠવાડિયાનું જાહેર કરાયું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં રાજ્યોએ પોતાની રીતે અલગ-અલગ લોકડાઉન જાહેર કર્યું છે. બિહાર, સિક્કિમ, નાગાલેંડ જેવા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન છે.
પશ્ચિમ બંગાળમાં અઠવાડિયામાં બે દિવસ લોકડાઉન લગવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ રીતે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં અઠવાડિયામાં બે દિવસ લોકડાઉન છે. આસામમાં કમરુપ મેટ્રોપોલિટન જિલ્લા, જેમાં ગૌહાટી પણ સામેલ છે, આંધ્ર પ્રદેશના શ્રીકાકુકલમ અને છત્તીસગઢના પાટનગર રાયપુર જેવા 326 જિલ્લામાં જ્યાં અલગ-અલગ રીતે લોકડાઉન લગાવામાં આવ્યું છે.
પંજાબ
આંશિક લોકડાઉન, અઠવાડિયામાં બે દિવસ સંપૂર્ણ બંધ
બધા 22 જિલ્લામાં પૂર્ણ લોકડાઉન
2.77 કરોડ જનતા લોકડાઉનના પ્રભાવ હેઠળ
ગેર-જરૂરિયાત સેવાઓ પર પૂર્ણ રોક
જમ્મૂ-કાશ્મીર
અંદાજે 50 ટકા આંશિક લોકડાઉન
20માંથી 8 જિલ્લામાં પૂર્ણ લોકડાઉન
60 લાખ જનતા લોકડાઉનના પ્રભાવ હેઠળ
બિહાર
38 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
31 જુલાઇ સુધી સરકારે લોકડાઉનનું એલાન કર્યું
અંદાજે 10 કરોડ જનતા લોકડાઉનના પ્રભાવ હેઠળ
ઉત્તરાખંડ
13માંથી 4 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
60 લાખ જનતા લોકડાઉનના પ્રભાવ હેઠળ
અઠવાડિયામાં બે દિસ બંધ રહેશે માર્કેટ
સિક્કિમ
4 જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન
6 લાખ જનસંખ્યા લોકડાઉન હેઠળ પ્રભાવિત
અરુણાચલ પ્રદેશ
25માંથી એક જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
અંદાજે 14 લાખ લોકો લોકડાઉનથી પ્રભાવિત
આસામ
33માંથી 2 જિલ્લામાં લોકડાઉન
23 લાખ લોકો લોકડાઉન હેઠળ પ્રભાવિત
નાગાલેંડ
બધા 11 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
20 લાખ લોકો લોકડાઉનથી પ્રભાવિત
ઉત્તર પ્રદેશ
75 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે 20 કરોડ જનતા લોકડાઉનથી પ્રભાવિત
શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન
મધ્યપ્રદેશ
52 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે 7 કરોડ જનસંખ્યા લોકડાઉન હેઠળ પ્રભાવિત
અઠવાડિયામાં બે દિવસ પૂર્ણ રીતે બંધ રહેશે રાજ્ય
પશ્ચિમ બંગાળ
23 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે 9 કરોડ જનસંખ્યા લોકડાઉન હેઠળ પ્રભાવિત
23, 25 અને 29 જુલાઇના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે
આંધ્ર પ્રદેશ
13માંથી 5 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે બે કરોડ જનસંખ્યા લોકડાઉન હેઠળ પ્રભાવિત
તામિલનાડુ
37 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે 7 કરોડ જનતા લોકડાઉન હેઠળ પ્રભાવિત
31 જુલાઇ સુધી રાજ્યમાં લોકડાઉન
મહારાષ્ટ્ર
36માંથી 9 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે ત્રણ કરોડ જનતા લોકડાઉન હેઠળ પ્રભાવિત
છત્તીસગઢ
28માંથી પાંચ જિલ્લા આંશિક લોકડાઉનમાં
અંદાજે 70 લાખ લોકો પ્રભાવિત
ગોવા
બેમાંથી એક જિલ્લામાં આંશિક લોકડાઉન
1 લાખ લોકો અંદાજે પ્રભાવિત
કેરળ
14માંથી એક જિલ્લામાં આંશિક લોકડાઉન
33 લાખ જેટલા લોકો પ્રભાવિત
કર્ણાટક
30માંથી 5 જિલ્લામાં આંશિક લોકડાઉન
એક કરોડ જનસંખ્યા પ્રભાવિત
ઓડીસા
30માંથી 23 જિલ્લામાં આંશિક લોકડાઉન
અંદાજે 3.6 કરોડ જનસંખ્યા પ્રભાવિત
દેશમાં 25 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન લગાવામાં આવ્યું હતું, કોરોના વાયરસની કહેરને ઓછો કરવા માટે આ પગલુ ભરવામાં આવ્યું હતું. જો કે 1 જૂનથી સરકારે અનલોક-1ની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને કેટલીક જગ્યાઓ પર લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી હતી જો કે લોકડાઉન ખોલી નાંખવામાં આવતા જ કોવિડ-19 કેસોની સંખ્યા સતત વધી રહી છે.