અમદાવાદ સહિત આખા ભારતમાં જનમાષ્ટમી ઉજવાઈ રહી છે પરંતુ કોરોનાની મહામારીને કારણે ભક્તો મંદિર સુધી પહોંચી નથી શકતા ત્યારે તમે ઘરમેળે પરિવાર સાથે કૃષ્ણ જન્મની ઉજવણી કરી શકો છો. આ રહી પૂજા વિધિ રાહ કોની જુઓ છો.
જનમાષ્ટમીની ઉજવણી ઘરે કરો
આ દસ સ્ટેપ્સ તમને મંદિરની અનુભૂતી કરાવશે
તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો
અમદાવાદ સહિત આખા ભારતમાં જનમાષ્ટમી ઉજવાઈ રહી છે પરંતુ કોરોનાની મહામારીને કારણે ભક્તો મંદિર સુધી પહોંચી નથી. આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો પરંતુ કોરોનાની મહામારીએ ભક્તો અને ભગવાન વચ્ચે છેટુ પાડી દીધુ છે ત્યારે તમે ઘરે બેઠા કરી શકો ભગવાન શ્રી કૃષ્ણની મહાપૂજા
ગણેશ સ્થાપન
ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. ગણેશજી ઉપર શુદ્ધ જળ ચઢાવો. ચંદન લગાવીને ચોખા ચઢાવો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. ગણેશજી પછી
શ્રીકૃષ્ણને સ્નાન કરાવો
શ્રીકૃષ્ણની પૂજા કરો. શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરીને શ્રીકૃષ્ણની મૂર્તિને શુદ્ધ જળથી ફરીથી પંચામૃત અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. તે પછી વસ્ત્ર અર્પણ કરો.
તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો
વસ્ત્ર બાદ આભૂષણ પહેરાવો. તે પછી ચંદન, ચોખા, અબીર, ગુલાલ, અષ્ટગંધ, ફૂલ, અત્તર, જનોઈ અને તુલીસ ચઢાવો. હાર-ફૂલ, ફળ, મીઠાઈ, જનોઈ, નારિયેળ, સૂકા મેવા, પાન, દક્ષિણા અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.
ભક્તોને પ્રસાદ વહેંચો
પાન ચઢાવીને દક્ષિણા ચઢાવો. ૐ કૃષ્ણાય ગોવિન્દાય નમો નમઃ મંત્રનો જાપ કરો. કપૂર પ્રગટાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા માંગો. છેલ્લે અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને સ્વયં પણ પ્રસાદ ગ્રહણ કરો.