બજારમાં ન નીકળો તમામ જીવનજરૂરિયાત વસ્તુઓ મળી રહેશે આવી જાહેરાત પુરવઠા વિભાગના સચિવ અશ્વીન કુમાર દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતુ કે, અમે રોજ પાંચ વાગ્યે મીટીંગ કરીએ છીએ અને યુદ્ધના ધોરણે શાકભાજી, અનાજ, દૂધ દરેક લોકના ઘરે પહોંતચુ કરવા માટેનો પ્લાન રેડી છે અને તે અમલી પણ કરી દેવામાં આવ્યો. લોકોને બસ એટલી જ અપીલ છે કે, તમે શાંતી રાખો. સરકાર પાસે દરેકનો બેકઅપ પ્લાન છે. શાકભાજી કે દૂધ બેમાંથી એકપણ વસ્તુ ખુટે તેમ નથી.
ગુજરાતમાં પુરતો પુરવઠો છે
લોકોએ ઘરમાં જ રહેવાની જરૂર છે
શાક, દૂધ અને અનાજ પુરતા પ્રમાણમાં છ
શું કહ્યુ પુરવઠા સચિવે?
શાકભાજીથી લઈ દૂધ અને જીવનજરૂરિતાયની તમામ વસ્તુઓ પોલીસને સાથે રાખીને તમારા સુધી પહોંચાડાશે. રાજ્યના 60 લાખ કુટુંબને એક માસનું અનાજ મફત મળશે.