કોરોના સંકટમાં લોકડાઉનને કારણે ખોરંભે ચડેલા નોકરી ધંધાને ફરીથી શરૂ કરવા માટે સરકારે યોજના જાહેર કરી છે. ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત કોને લોન મળી શકે? કેટલા રૂપિયાની લોન મળી શકે? ક્યારે પાછી ભરવાની? વગેરે જેવા કંઈ કેટલાય પ્રશ્નો થતા હોય ત્યારે તમારા તમામ સવાલોના જવાબ દસ ઈઝી સ્ટેપ્સમાં મળી જશે. આ રહ્યા દસ સવાલ જવાબ.
કેટલા રૂપિયા સુધીની લોન મળશે?
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.
કોને લોન મળી શકશે?
નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.
ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે?
આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.