ગુજરાતમાં કોરનાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમ ક્રિયા માટે વેઈટિંગ ચાલી રહ્યા છે. હાલ ગુજરાતમાં કોરોનાના 14,821 કેસ નોંધાયા છે. 915 લોકોના મોત થઈ ચુક્યા છે. 7139 લોકો સાજા થઈ ચુક્યા છે. અમદાવાદમાં 10,841 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 745 લોકોના મોત થયા છે. દરરોજ સરેરાશ 20થી વધુ લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે.
અમદાવાદમાં સ્મશાનમાં વેઈટીંગ
કોરના અને લોકડાઉનના કારણે મૃત્યુમાં વધારો
ક્બ્રસ્તાન અને સ્માશાનના આંકડા અમદાવાદમાં વધેલા મોતની કહાની કહે છે
ગયા વર્ષે મે 2019માં અમદાવાદમાં 2504 લોકોના અંતિમ સંસ્કાર થયા હતા જ્યારે આ વખતે મે 2020માં અત્યાર સુધીમાં 4236 લોકોના મોત થયા છે. કોરોના અને લોકડાઉનને કારણે અગાઉ કરતા મૃત્યની સંખ્યા વધી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
સ્મશાનગૃહ અને કબ્રસ્તાનમાં અમદાવાદ શહેરમાં અગાઉ કરતા મૃત્યુની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે. કેટલાક સ્મશાન ગૃહમાં તો અગ્નિસંસ્કાર માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના કારણે થતાં મોત એટલા હદે વધ્યા છે કે, વિશ્વમાં તેની નોંધ લેવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર ભલે કોરોનાના દર્દીઓ અને મોતના આંકડા સાથે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરે, પરંતુ શહેરના સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનની રહેલી પરિસ્થિતિ વાસ્તવિક ચિતાર રજૂ કરે છે.
મહિનો
વર્ષ-2019
વર્ષ-2020
જાન્યુઆરી
3614
3747
ફેબ્રુઆરી
3141
3150
માર્ચ
3062
3052
એપ્રિલ
2824
3241
મે
2504
4236
કુલ
15145
17426
શહેરના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે આવતા લોકોની સંખ્યા વધી છે. તો સાથે સાથે સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કારનું પ્રમાણ વધુ છે. આટલું ઓછું હોય તેમ સ્મશાન ગૃહમાં મૃતદેહના અગ્નિસંસ્કાર થાય તે માટે રાહ જોવી પડે છે. કારણ કે, આગળ અન્ય મૃતદેહોના અંતિમ ક્રિયાની વિધિ ચાલતી હોય છે. થલતેજ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં મોટે ભાગે મૃતદેહને અંતિમ વિધિ માટે રાહ જોવી પડે છે.
કબ્રસ્તાન
એપ્રિલ-2019
એપ્રિલ-2020
મુશા સુહાગ
70
176
ચાર તોડા
60
120
ગંજ શહીદ
70
199
છીપા સમાજ
30 થી 40
143
મંગળવારે કોરોનાથી મોત થયેલા 3 વ્યક્તિના મૃતદેહો એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યા હતા તેમના પરિવારજનો સ્મશાનની બહાર અંતિમવિધિ માટે તેમનો નંબર આવે તેની રાહ જોઇને બેઠા હતા. સીએનજી સ્મશાન ગૃહમાં એક ડેડબોડીને બાળતા એકથી દોઢ કલાક જેટલો સમય જાય છે થલતેજ સ્મશાનના નોંધણી કરનાર કર્મચારી સ્વીકારી રહ્યા છે કે, બે-ત્રણ મહિનાથી અંતિમ સંસ્કાર માટે આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે પહેલા રોજની પાંચથી દસ બોડી આવતી હતી જ્યારે હવે 15 થી 20 મૃતદેહ આવે છે.
કોર્પોરેશનના ચોપડે થયેલા નોંધણીમાં પણ આ બાબત સામે આવી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોતના આંકડા વધુ છે જે શહેરની પરિસ્થિતિનો ચિતાર આપે છે.