ગુજરાત સરકારના સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે 67 ટ્રેન રવાના કરવામાં આવી છે જ્યારે વિદેશ અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી પણ થઈ રહી છે. ગુજરાતમાં તીડની ભીતિ છે તો વળી આંધ્રપ્રદેશમાં ગેસ ગળતરની ગોઝારી ઘટનામાં બચાવ માટે એકમાત્ર વાપીમાં બનતુ PTBC કેમિકલ દમણથી એરલિફ્ટ કરી આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યું હતુ.
રાજ્યમાંથી અત્યાર સુધી બિનગુજરાતીઓને મુકવા 67 ટ્રેન રવાના થઈ
રાજ્યમાંથી અત્યાર સુધી બિનગુજરાતીઓને મુકવા 67 ટ્રેન રવાના થઈ છે. આજે વધુ 34 ટ્રેન મારફતે શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડાશે. રાજ્યના અલગ અલગ શહેરમાંથી આ ટ્રેનો રવાના થશે. એક ટ્રેનમાં 1200 મુસાફરોને લઈ જવાઈ રહ્યા છે. APL 1 કાર્ડ ધારકોને સસ્તા અનાજનું વિતરણ પણ આજથી શરૂ કરાયું. આજે 8 લાખ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં સ્થિતિનું મુલ્યાંકન કર્યા બાદ અનાજ વિતરણ થશે. રાજસ્થાનમાં તીડનું પ્રમાણ છે તે ચિંતાની બાબત નથી.
સુરતથી ગઈકાલ સુધીમાં 28 ટ્રેન રવાના થઈ
દરેક ટ્રેનમાં 1200 મુસાફરોને મોકલવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેસાડવામાં આવ્યા છે. વડોદરાથી ગઈકાલ સુધીમાં 6 ટ્રેન રવાના થઈ છે. 5 ટ્રેન યુપી અને 1 ટ્રેન બિહારમાં રવાના થઈ છે. આણંદથી 2 ટ્રેન, 1 યુપી અને 1 બિહાર માટે રવાના થઈ. ગઈકાલ સુધી રાજ્યમાંથી કુલ 67 ટ્રેન શ્રમિકોને મુકવા માટે રવાના થઈ છે.
આજે વધુ 34 ટ્રેન રવાના થશે
ઉત્તરપ્રદેશની 20 ટ્રેન, ઓડિશાની 5, બિહારની 4, ઝારખંડ માટે 2 ટ્રેન છે
છત્તિસગઢ માટેની 1 ટ્રેન છે
અલગ અલગ શહેરોથી આ ટ્રેન રવાના થશે
સુરતમાંથી આજે 12 ટ્રેન રવાના થશે
યુપી જવા માટે 8 ટ્રેન, ઓડિશા માટે 3 અને ઝારખંડ માટે 1 ટ્રેન છ ે
અમદાવાદમાંથી 6 ટ્રેન યુુપી જવા માટે રવાના થશે
રાજકોટથી 2 ટ્રેન રવાના થશે
મોરબીથી 3 ટ્રેન રવાના કરવાનું આયોજન કરાયું છે
વડોદરાથી 3 ટ્રેન યુપી જવા માટે રવાના કરાશે
જામનગરથી 2 ટ્રેન રવાના થશે, યુપી માટે 1 અને બિહાર માટેની 1 ટ્રેન છે
નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, ભરૂચ અને પાલનપુરથી પણ ટ્રેનો રવાના કરાશે
અત્યાર સુધીમાં 29540 લોકોને ગુજરાત પાછા લાવવામાં આવ્યા છે
ગુજરાતના જે લોકો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ ફસાયા છે તેમને પરત લાવવા માટે પ્રયાસ કરાયા છે. મહારાષ્ટ્રમાંથી 15523 લોકોને પરત લવાયા. રાજસ્થાનથી 4252 લોકોને પરત લવાયા. યુપીથી 1412 લોકો, મધ્યપ્રદેશમાં 1590 લોકો, કર્ણાટકમાંથી 1038 લોકો પરત લવાયા. તમિલનાડુમાંથી 604, દિલ્લીમાંથી 395 લોકોને પરત લાવવામાં આવ્યા. આ તમામ લોકો લોકડાઉનના કારણે અલગ અલગ રાજ્યમાં ફસાયા હતા.
અનાજનું વિતરણ કરાયુ
આજે BPL 1 કુટુંબ જેની સંખ્યા 61 લાખ જેટલી થાય છે. આ લોકોને બીજી વખત અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં લોકો માટે અનાજ વિતરણ વ્યવસ્થા કરાઈ હતી. 2 વાગ્યા સુધીમાં 4 લાખ જેટલા કુટુંબોએ રાશન મેળવી લીધું છે. 10 વાગ્યા સુધીમાં આંકડો વધીને 8 લાખ સુધી પહોંચી શકે. અમદાવાદની સ્થિતિનું મુલ્યાંકન કર્યા બાદ અનાજ વિતરણની તારીખ જાહેર કરાશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લામાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં તીડનું જોખમ
રાજસ્થાનના જેસલમેરમાં મર્યાદિત સંખ્યામાં તીડ જોવા મળ્યા છે. તીડનું જે પ્રમાણ છે તે અલ્પ અને મર્યાદિત કહી શકાય તેમ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાઈ. ઉનાળુ પાકનું વાવેતર સિમીત અને મર્યાદીત છે. રાજસ્થાનમાં જે તીડનું પ્રમાણ છે જે ચિંતાની બાબત નથી. સરકાર તીડ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તીડ નાશક દવાઓ , નિયંત્રણની તૈયારી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી લેવાઈ છે. જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની સામે લડવાની તૈયાર કરી લેવાઈ છે.
ગુજરાતથી આંધ્રપ્રદેશ 500 કિલો PTBC કેમિકલ મોકલાયું
આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં ગેસ લિકેજની ઘટના બની છે. 10 લોકો મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા જે કેમીકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલ માત્ર વાપીમાં મળે છે, આ કેમિકલ મેળવવા માટે આંધ્રના CMએ વાત કરી છે. વાપી પ્લાન્ટમાંથી 500 કિલોગ્રામ કેમિકલ મોકલવા માટેની તૈયારી દર્શાવી છે. આંધ્રપ્રદેશમાં થયેલા લિકેજમાં ગુજરાત સરકારે માનવતાની દ્રષ્ટિએ મદદ કરી છે.