ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી આતંક ફેલાવી રહી છે ત્યારે ભાવનગરમાં કોમી એકતા માનવધર્મને મહેકાવી રહી છે.
ભાવનગર મહામારીમાં RSS, મુસ્લિમ સમાજની કામગીરી
કોરોનાથી મૃત્યુ પામતા લોકોની કરાય છે અંતિમવિધિ
RSS, એકતા ગ્રુપ સાથે મળીને કરે છે કામગીરી
કોરોનાથી ભાવગરમાં દરરોજ અનેક પરિવાર પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી આવેલા દર્દીઓનું ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં મૃત્યુ થાય છે. . ત્યારે ભાવનગરમાં RSS, મુસ્લિમ સમાજનું એકતા ગ્રુપ અને કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટી અરવિંદ પરમાર દ્વારા અંતિમ વિધિ કરાય છે.. કોરોના અથવા કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની અંતિમવિધિ કરવામાં આવે છે.
કોઈ પણ જાત, ધર્મનો ભેદભાવ રાખ્યા વગર મુસ્લિમ સમાજ અને હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા લોકોની અંતિમ વિધિ કરવામાં આવે છે.. જો કોઈ વ્યક્તિ હિન્દૂ હોય તો તેમની હિન્દૂ સમાજ મુજબ અંતિમ ક્રિયા કરાય છે.. જ્યારે મુસ્લિમ સમાજના લોકોની દફનવિધિ કરવાામં આવે છે. કોઈ સમાજ નહી પરંતુ ભારતીય હોવાથી તેઓ આગળ આવીને 24 કલાક સ્મશાન અને કબ્રિસ્તાનમાં ફરજ બજાવી રહ્યા છે.
મહામારીમાં અંતિમ વિધિની સાથે આ સંસ્થાના લોકો દ્વારા પ્લાઝમા પણ ડોનેટ કરવામાં આવે છે. ભાવનગરમાં દાખલ ગંભીર દર્દીઓ સાજા થાય તે માટે તેઓ અનેક વખત પ્લાઝમા પણ ડોનેટ કરી ચૂક્યા છે.
મહત્વનું છે કે, કોરોનાના ગંભીર દર્દીને પ્લાઝ્મા ચઢાવવામાં આવે તો અનેક વખત રિકવરી જોવા મળે છે.. જેથી આ સંસ્થા દ્વારા પ્લાઝમા ડોનેટ કરીને દર્દીઓને બચાવવાનો પણ પ્રયાસ કરાય છે.. અને કોરોનાથી સાજા થતા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની પણ અપીલ કરાય છે.