ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાસંકટને કારણે 21 દિવસનું લોકડાઉન હતુ જે આજે ખતમ થવાનું હતુ પરંતુ કોરોનાનું સંકટ ઘેરૂ બનતા લોકડાઉનને 3જી મે સુધી લંબાવવામાં આવ્યુ છે . રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) બંધ કરવામાં આવ્યા હતા જેને શરતી મંજૂરીથી ખોલવામાં આવશે. જોકે, ખેડૂતોની માગ અને અનાજની આવનારા દિવસોમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્યના અમુક યાર્ડો ફરી શરુ કરવામાં આવી રહી છે. જો કે, વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિ દ્વારા ગોઠવવામાં આવી છે.
અગાઉથી કરાવુ પડશે રજિસ્ટ્રેશન
સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
મોટી APMC સમિતિઓએ ચાલુ કરવા અંગે લીધો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલ APMC માર્કેટ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ અંગે CMO અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતા આપી હતી. બજારમાં અનાજની હરાજી વખતે વેપારીઓ અને ખેડૂતો સહિત 40-50 લોકો ભેગા થતા હોય છે. આ સ્થિતિના નિરાકરણ માટે વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિએ ગોઠવવી જોઈએ.
અગાઉથી કરાવુ પડશે રજિસ્ટ્રેશન
માર્કેટ યાર્ડ આવતી કાલથી ખુલ્લુ રાખવામાં આવશે. સવારે 11:30થી બપોર 1 વાગ્યા સુધી હરાજી કરવામાં આવશે. મોડાસા યાર્ડમાં હરાજી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યો છે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતને યાર્ડમાં પ્રવેશ મળશે. અગાઉથી જ ફોન પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલથી સ્થિતિના આધારે માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવશે. અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રખાશે. માર્કેટયાર્ડ શરૂ કરવાને લઇ જિલ્લાકક્ષા દ્વારા એક સમિતિની રચના પણ કરાઇ છે. ખેડૂતોએ ખરીદ પ્રક્રિયા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને નક્કી કરેલી તારીખે સેમ્પલ લઇ ખેડૂત યાર્ડે પહોંચશે. અને સેમ્પલ પાસ થયા બાદ પાકનું વેચાણ કરવાનું રહેશે. અને શક્ય હોય તો વેપારી ખેડૂતના ખેતરમાંથી જ માલ ખરીદી શકે છે. માર્કેટયાર્ડમાં ભીડ ન થાય એ રીતે તમામ આયોજન કરાયું છે. વેપારી-ખેડૂત સમજણ પ્રમાણે પાકનું ખરીદ-વેચાણ કરે અને ખેડૂત અને વોપારી મળીને પાકની કિંમત નક્કી કરે. સીએમઓ સચિવે કહ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. અને નિયમોનું પાલન ન કરનાર યાર્ડને તાત્કાલિક બંધ કરી દેવાશે. સાથે જ માર્કેટયાર્ડમાં માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. માસ્ક,ટુવાલ,ગમછો,હાથરૂમાલ બાંધીને પણ ખેડૂત આવી શકે છે.
સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
આ સાથે યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને આદેશ અપાયો છે કે એક સાધનમાં ફકત બે માણસો જ યાર્ડમાં પ્રવેશ લઈ શકશે અને તમામ યાર્ડમાં આવનારા ખેડૂતો અને વેપારીઓએ માસ્ક પહેરવું ફજિયાત છે.
મોટી APMC સમિતિઓએ ચાલુ કરવા અંગે લીધો નિર્ણય
રાજકોટ, ગોંડલ, ઊંઝા, જુનાગઢ, વેરાવળ, પાટણ, ભાબર સહિત રાજ્યમાં મોટા ગણાતા અને જ્યાં અનાજનું વેચાણ પણ વધારે થઇ રહી છે તેવી APMC સમિતિઓમાં સરકારી ગાઈડલાઈન મુજબ વેચાણ શરૂ થશે.
ખેડુતો અને વેપારીઓએ શું કરવાનું રહેશે
અગાઉથી રજિસ્ટ્રેશન કરાવું પડશે.
નક્કી થયેલ તારીખે સેમ્પલ લઈ જવાનું રહેશે.
સેમ્પલ પાસ થયા બાદ, પાકનું વેચાણ થશે.
શક્ય હોય ત્યાં સુધી વેપારી ખેતરમાંથી ડાયરેક્ટ માલ ખરીદે
માર્કેટમાં લોડિંગ અને અનલોડિંગ વખતે સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવું