સોમવારથી જેતલપુર અનાજ માર્કેટ ખાતે શાકમાર્કેટ કાર્યરત કરવામાં આવશે. અને વેપારીઓ વજન કાંટા અને જરૂરની વસ્તુઓ જેતલપુર ખાતે ખસેડશે. કોરોના મહામારી સુધી જેતલપુર માર્કેટથી શાકમાર્કેટનુ સંચાલન થશે
કોરોનાની સ્થિતિમાં માર્કેટ ખસેડવું જરૂરી હતું
સોમવારથી માર્કેટ જેતલપુર અનાજ માર્કેટ ખાતે ચાલશે
કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ માર્કેટ જમાલપુર પરત લાવવામાં આવશે
અમદાવાદમાંકોરોના લઈને APMCએ નિર્ણય લીધો મોટો લીધો છે. જમાલપુર શાક માર્કેટને અમદાવાદ શહેરથી બહાર ખસેડવાનો નિર્ણય કર્યો છે..જમાલપુર માર્કેટમાં થઇ રહેલી ભીડને લઇને નિર્ણય કરવામાં આવ્યો છે. બે દિવસ જમાલપુર શાક માર્કેટ બંધ રહેશે. જમાલપુર શાક માર્કેટને જેતલપુર અનાજ માર્કેટમાં શિફ્ટ કરવામાં આવશે. શાક માર્કેટમાં આવતા તમામ ખેડૂતો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે.
કેમ ખસેડાયુ જમાલપુર માર્કેટ
13 થી18 હજાર ક્વિન્ટલ શાકભાજી માર્કેટમાં રોજ આવે છે. હાલની જગ્યા નાની પડી રહી છે. કોરોનાની સ્થિતિમાં માર્કેટ ખસેડવું જરૂરી હતું. સોમવારથી માર્કેટ જેતલપુર અનાજ માર્કેટ ખાતે ચાલશે. કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ માર્કેટ જમાલપુર પરત લાવવામાં આવશે. જમાલપુર માર્કેટ શનિવારના રોજ બંધ રહેશે. હાલ જમાલપુર માર્કેટમાં 5 હજાર લોકોનું આવાં જાવન છે. 500 થી વધુ વાહનોની અવર જવર રહે છે.