અમદાવાદ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ કોરોના કહેર યથાવત
1200 બેડની બહાર એમ્યુલન્સનો ધસારો થયો ઓછો
અન્ય કોવિડ હોસ્પિટલ શરૂ થતા ધસારો ઘટ્યો
અમદાવાદમાં 1200 બેડની બહાર એમ્યુલન્સનો ધસારો ઓછો થયો છે. આ ધસારો ઓછો થવાનું કારણ અન્ય કોવિડ હોસ્પિટલ શરૂ થતા ધસારો ઘટ્યો છે.
કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં એડમિટ કરવાની વ્યવસ્થા કરાઈ રહી છે. અન્ય હોસ્પિટલમાં દર્દીઓની વ્યવસ્થા કરતા 1200 બેડમાં એમબ્યુલન્સની લાઈનો ઘટી છે. કેસો નથી ઘટયા પણ એમ્બ્યુલન્સની લાઈનો ઘટી ગઈ છે. દર્દીઓને હવે એમ્યુબ્લુન્સમાં સારવાર માટે રાહ નહીં જોવી પડે.
અમદાવાદમાં હોસ્પિટલો વધી
અમદાવાદ જિલ્લામાં 886 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 2 દિવસમાં 886 બેડની વ્યવસ્થા
510 સરકારી, 306 ખાનગી હોસ્પીટલમાં બેડની વ્યવસ્થા
70 કોવિડ કેર સેન્ટરના બેડની વ્યવસ્થા કરાઇ
અમદાવાદ જિલ્લાના દર્દીઓ માટે 886 બેડ અનામત કરાયા
સોલા સિવિલ હોસ્પીટલ માં ૪૫૦
સીંગરવા એસડીએચ માં ૫૦
ધંધુકા સીએચસીમાં ૧૦
દસક્રોઇની શિવ હોસ્પીટલ માં ૨૫
સાણંદની શ્રીજી હોસ્પીટલ માં ૩૫
ધોળકાની દુર્વેશ હોસ્પીટલમાં ૮
ધોળકાની ડીઆઈએમએચ ૧૫
બાવળાની અન્યા આઇસીયુ હોસ્પીટલ માં ૨૫
સાણંદની જનમ હોસ્પીટલ માં ૨૦
સાણંદની જનતા હોસ્પીટલ માં ૧૫
બાવળાની રાધે હોસ્પીટલ માં ૧૨
બાવળાની શ્રેય હોસ્પીટલ માં ૧૫
બાવળાની પારેખ હોસ્પીટલ માં ૨૫
ધોળકાની શરણમ હોસ્પીટલમાં ૨૫
દસક્રોઇ ની રુદ્રાક્ષ હોસ્પીટલ માં ૯
બાવળા વેદાન્ત હોસ્પીટલ માં ૧૫
સાણંદની વરદાન હોસ્પીટલ માં ૨૨
વિરમગામની ભાગ્યોદય હોસ્પીટલ માં ૧૫
વિરમગામની શાલિગ્રામ હોસ્પીટલ માં ૨૦
વિરમગામની ક્રીષ્ના હોસ્પીટલમાં ૫
માંડલ ના વિંઝુવાડા ખાતે ૨૦ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું
રાજ્યમાં કોરોનાને લઈને સ્થિતિ વકરતી જોવા મળી રહી છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટ સિવિલની બહાર આશરે 20થી વધુ એમ્બ્યુલન્સ લાઈન લગાવી ઉભી છે.દર્દીઓને અંદર લઈ જવા માટે એક થી બે કલાક જેટલું વેઈટિંગ ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર થતા તેમને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી હતી.