AMC કમિશનર વિજય નેહરાએ આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ઘણી મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં LOCKDOWN 3.0 અંગેની માહિતીથી ળઈને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સુધીના લોકો અંગે વાત કરી હતી. અમદાવાદ મનપા દ્વારા એક અગત્યની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સને 4 કે 5 સ્ટાર હોટલમાં સારવાર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે કોરોના વોરિયર્સ માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ આવે તો 4 કે 5 સ્ટાર હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે.
લોકડાઉન-3ની માહિતી બહાર પડાશે
આવતીકાલે લોકડાઉન-3ની માહિતી બહાર પડાશે. વિગતવાર માહિતી બહાર પાડવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનું પાલન નથી થઈ રહ્યું. પાલન નથી થતું એવા વિસ્તારો રેડ ઝોનમાં આવ્યા.
લોકડાઉનનું પાલન કરવા AMC કમિશનરની અપીલ
બધા નાગરિકો એકસાથે લોકડાઉનનું પાલન કરો. 14 દિવસ લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. મેનાં અંત સુધીમાં વાયરસ નિયંત્રણમાં આવી જશે. લોકડાઉનનું પાલન થશે તો સંક્રમણ ઘટશે. 4469 સેનેટાઈઝ બોટલ વિતરણ કરાઈ. 27,182 માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરી
7 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 4 યુનિટો સીલ કરવામાં આવ્યા છે. ગોમતીપુરમાં અલ ગરીબ નવાઝ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જ્યાં કોરોનાના દર્દીને નિશુલ્ક સારવાર અપાશે. જમાલપુરમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું. છીપા કોમ્યુનિટી સેન્ટરમાં 100 બેડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. બહેરામપુરામાં મોડેલ કોવિડ સેન્ટર શરૂ કરાશે. કોરોના વૉરિયર્સને કોરોના થશે તો હોમ બેઝ સુવિધા અપાશે.
આંકાડકિય માહિતી
અમદાવાદમાં કુલ 3 હજાર 278 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 2659 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 456 છે. સાંજ સુધી ડિસ્ચાર્જની સંખ્યા 500એ પહોંચી જશે. હાલ કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે.