અમદાવાદમાં કોરોનાએ માઝા મુકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મનપા કમિશનર વિજય નેહરાએ મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં 10 વોર્ડને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પણ વોર્ડ વાઈઝ અધિકારીઓની નીમણૂંક કરવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી હતી.
અમદાવાદમાં 24 કલાકમાં 20ના મોત, નવા 245 કેસ નોંધાયા
10 વોર્ડને જાહેર કરાયા રેડઝોન
રેડઝોનમાં બંદોબસ્તમાં મુકાયા ઉચ્ચ અધિકારીઓ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીના અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. અને કોટ વિસ્તારની સ્થિતિ અંત્યત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 લોકો વેન્ટિલેટર પર છે. કુલ કેસ 3533 નોંધાયા છે.
10 ઝોન કનેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
મધ્ય ઝોનનામાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા અને દક્ષિણ ઝોનના બહેરામ પુરા, દામીલીમડા અને મણીનગરનો સમાવેશ થાય છે. ઉ. ઝોનનો સરસ પુર અને પૂર્વ ઝોનનો ગોમતીપુર એમ 10 વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
પાંચ બ્રિજ બંધ કરાયા
ગાંધીબ્રિજ, દધીચી બ્રિજ, આંબેડક્ટ બ્રિજ, નહેરૂબ્રિજ, સરદાર બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી ફરજ પરના લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં. સુભાષબ્રિજ અને એલીસ બ્રિજ પરથી શરતી પરમિશન મળશે.
10 ઝોનમાં લોકો લોકડાઉનનો ભંગ કરે છે.
જમાલપુર અને કોટ વિસ્તારમાં ગંભીરતા જાળવવી જરૂરી છે. હવે નીષ્કાળજી ખરેખર ખુબ ગંભીર મુશ્કેલીમાં મુકી શકે છે. રમઝાનની ઉજવણી ઘરમાં જ કરો. ઘરની બહાર ન નીકળશો. રાતે પણ તમે ઘરની બહાર નીકળો છો જેને કારણે ચેપ પ્રસરી રહ્યો છે.
શું આપી સુચના ?
સાંજના 7થી સવારના 7 બહાર ન નીકળશો.
સવારના 7થી સાંજના 7 અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળો