ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આમજનતાની સાથે રાજ્યમાં નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજ્યમાં ભોજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સહિત કેટલાક નેતાઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. હાલમાં જ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે વડોદારના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોનાગ્રસ્ત થયા છે. અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આમ હવે રાજ્યમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે કેટલાક નેતાઓ કોરોનાને માત પણ આપી ચૂક્યા છે.
વડોદરાના કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ કોરોનાગ્રસ્ત
અક્ષય પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
સોશિયલ મીડિયાના માધ્યમથી અક્ષય પટેલે કરી જાણ
રાજ્યમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ આવેલા રાજકીય ભૂકંપમાં કરજણના નેતા અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ કોરોનાગ્રસ્ત થયા છે.
કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોનાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અક્ષય પટેલે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. આ અગાઉ રાજ્યમાં રાજકીય કેટલાંક નેતાઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં હતા. જેમાંથી ઘણાએ નેતાઓ કોરોનાને માત આપી પણ આપી ચૂક્યાં છે.
કોંગ્રેસના નેતાઓમાં ભરતસિંહ સોલંકી, ગનીબેન ઠાકોર, ચિરાગ કાલરીયા, મૌલિન વૈષ્ણ, ચેતન રાવલ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. જો કે ભરતસિંહ સોલંકી હજુ પણ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા કોરોનાને આપી માત ચૂક્યા છે
મહત્વનું છે કે, આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે શંકરસિંહ વાઘેલા કોરોનાને માત આપી ચૂક્યા છે. શંકરસિંહ સ્વસ્થ થતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.