ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર માટે કોરોનાને લઇને રાહતના સમાચાર આવ્યાં છે. શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.
કોરોના મુદ્દે અમદાવાદ માટે રાહતના સમાચાર
અમદાવાદમાં કોરોના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો
ગઇકાલે શહેરમાં 143 પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલે શહેરમાં 143 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાથી ગઇકાલે 2 લોકોનાં મૃત્યું થયા હતા. આ સાથે શહેરના માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં શહેરમાં ગઇકાલે 9 વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયાં.
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રવિવારે વધુ 1,101 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 805 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આ સાથે હાલ રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોરોનાના કારણે રાજ્યમાં વધુ 22 લોકોના નિધન થયા હતા. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 63 હજાર 675 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 14,601 એક્ટિવ કેસ સામે આવ્યા હતા. કોરોનાથી કુલ 2,487 દર્દીઓના મૃત્યુ થયા છે.