પુરાણોમાં કૃષ્ણ-સુદામા અને ફિલ્મમાં જય-વીરૂની મિત્રતા ઘણી લોકપ્રિય છે. ત્યારે રિલ લાઈફમાં પણ મિત્રતાની અનોખી કહાની સામે આવી છે.
દુનિયામાં એ બધુ કમાયો જે મિત્રતા કમાયો
જાણો બોકારો નોઈડાના જય-વીરૂની કહાની
કારમાં ઑક્સિજન લઇને બોકારોથી નોઈડા પહોંચી ગયા દેવેન્દ્ર
જ્યારે પણ મિત્રતાની વાત આવે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને સુદામાની જોડી આવે. કળિયુગમાં પણ મિત્રતાની સરખામણી શ્રીકૃષ્ણ અને સુદામા સાથે જ કરાય છે. તમારા જીવનમાં પણ કદાચ એવો મિત્ર હશે જેને તમે જિગરી કે લંગોટિયા પણ કહેતા હશો. કોરોના કાળમાં એવી જ કહાની છે બોકારો અને નોઈડાના જય-વીરૂની.
1400 કિલોમીટરની સફર સુધી જિગરી માટે લઇ આવ્યો ઑક્સિજન
બોકારોમાં રહેતા ટીચર દેવેન્દ્ર અને નોઈડામાં રહેતા રંજન મિત્ર છે. દોસ્તી એવી કે એક બીજા માટે કંઇ પણ કરવા તૈયાર. દેશમાં કોરોનાનો જ્યારે કહેર ચાલી રહ્યો છે તો તેની ઝપેટમાં નોઈડામાં રહેતા રંજન પણ આવી ગયા. તેમનું ઑક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું, પરંતુ ઑક્સિજનની વ્યવસ્થા નહોતી થઇ શકતી. તો ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે, દર્દીઓની જીવ બચાવવા માટે ઑક્સિજનની વ્યવસ્થા કરવી પડી શકે છે.
હાલ ઇન્ટરનેટના જમાનામાં કોઈ વસ્તુ ક્યાં અટકે છે. તેવામાં રંજનના મિત્ર દેવેન્દ્ર સુધી આ સમાચાર પહોંચી ગયા. નોઈડામાં તો ઑક્સિજન નહતું પરંતુ બોકારોમાં રંજનના મિત્ર દેવેન્દ્રએ ઑક્સિજનનો જુગાડ કરી લીધો. પરંતુ સિલિન્ડર નોઈડા પહોંચાડવું જરૂરી હતું. મિત્રનો જીવ બચાવવા માટે બોકારોથી 1400 કિલોમીટરની સફર કાર પર પસાર કરીને દેવેન્દ્ર જિંદગીનો શ્વાસ લઇ આવ્યો.
કારમાં ઑક્સિજન લઇને બોકારોથી નોઈડાની સફર
જોકે બોકારોમાં રહેતા દેવેન્દ્રને મિત્રના જીવનો ખતરો હોવાની વાત ખબર પડી તો તે ઑક્સિજન સિલિન્ડરની વ્યવસ્થામાં લાગી ગયો. આ દરમિયાન તેમણે બોકારોમાં કેટલાક પ્લાન્ટ અને સપ્લાયરના કોન્ટેક્ટ કર્યા. પરંતુ ખાલી સિલિન્ડર વગર કોઈ ઑક્સિજન આપવા તૈયાર નહોતું.
જોકે તેમ છતા દેવેન્દ્રએ હિમ્મત ન હારી અને પછી તેમની મહેનત રંગ લાવી. ત્યારબાદ એક અન્ય મિત્રની મદદથી બિયાડા સ્થિતિ ઝારખંડ ઇસ્પાત ઑક્સિજન પ્લાન્ટના સંચાલકનો સંપર્ક કરીને તેની મુશ્કેલી જણાવી તો તેઓ તૈયાર થઇ ગયા, પરંતુ તેને ઑક્સિજન સિલિન્ડરની સિક્યોરિટી મની જમા કરાવવાની શરત રાખી. ત્યારબાદ દેવેન્દ્રએ જંબો સિલિન્ડર માટે 10 હજાર રૂપિયા આપ્યા, જેમાં 400 રૂપિયા ઑક્સિજનની કિંમત અને 9600 રૂપિયા સિલિન્ડરની સિક્યોરિટી મની હતી.
કારમાં ઑક્સિજન લઇને નિકળી ગયો દોસ્ત
ઑક્સિજન સિલિન્ડર મળ્યા બાદ દેવેન્દ્ર ખુદ રવિવારે સવારે પોતાની કારથી નોઈડા માટે નિકળી પડ્યા અને અંદાજિત 24 કલાકમાં પહોંચી ગયા. જોકે આ દરમિયાન રાજ્યોની બોર્ડર પર તેમની પોલીસે પૂછપરછ પણ કરી, પરંતુ મિત્રનો જીવ બચાવવાની વાતે તેમને અટકવા ન દીધા.
આ વચ્ચે જ્યારે દેવેન્દ્ર સિલિન્ટર આપીને દિલ્હી પહોંચ્યા તો રંજન અગ્રવાલની આંખો રડી પડી. ત્યારબાદ તેમણે કહ્યું કે, જ્યારે મારી પાસે આવો મિત્ર છે તો કોરોનાની શું ઔકાત જે મારુ કંઇ બગાડી શકે. રંજનના ઓળખીતા તો એવું કહી રહ્યા હતા કે ભગવાન આવો મિત્ર સૌને આપે.