ગુજરાતમાં હાલ એક પણ Coronavirus નો પોઝેટીવ કેસ નોંધાયો નથી પરંતુ ગઈકાલે પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. વળી દિલ્હીની સ્થિતિ પણ સારી નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકત કેન્સલ કરવામાં આવી છે. આવતી 21મી અને 22મી માર્ચે PM મોદી નર્મદામાં ક્રુઝનું ઓપનીંગ કરવાના હતા પરંતુ Coronavirusને કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. વળી WHO એ પણ Coronavirusને મહામારી જાહેર કર્યો છે.
coronavirus ને કારણે PM મોદી ગુજરાત નહીં આવે
ગુજરાતમાં હજુ સુધી એકપણ પોઝેટીવ કેસ નથી નોંધાયો
પાલનપુર, વડોદરામાં શંકાસ્પદ 5 કેસ
Coronavirus ના ફેલાવાની દહેશતના પગલે કેન્દ્ર સરકારે જાહેર સમારોહ ન યોજવા માટેની માર્ગદર્શીકા બહાર પાડી છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 21 અને 22મી ગુજરાત પ્રવાસ રદ થયો છે.
નાયાબ મુખ્યમંત્રઈ નીતિન પટેલે કરી જાહેરાત
નીતિન પટેલે જણાવ્યું હતું. વડોદરા ખાતે 21 માર્ચના રોજ નવલખી મેદાનમાં આઈઓસીએલ અને એચપીસીએલના બે પ્રોજેક્ટના થનારા લોકાર્પણ અને જાહેરસભાનો કાર્યક્રમ પણ રદ કરાયો છે. જ્યારે નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએઃ DyCM
આ અગાઉ Coronavirus ને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે Coronavirus ને લઇ સરકાર સક્રિય છે. કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ. CM સાથે બેઠક કરી અને ભારત સરકારની ગાઇડલાઇન અંગે ચર્ચા કરીશું. Coronavirus ને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યાં છીએ. ગુજરાતમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. એરપોર્ટ પર સ્ક્રીનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો વધુ આઇસોલેશન વોર્ડ શરૂ કરાશે. કોરોના વાયરસ મુદ્દે નાગરિકો પણ જાગૃત થયા છે.
પાલનપુર, વડોદરામાં શંકાસ્પદ 5 કેસ
આજે પાલનપુરમાં ઓસ્ટ્રેલિયાના 4 ટ્રેની યુવક યુવતીઓના શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં અમેરિકાથી પરત ફરેલા 65 વર્ષના વૃદ્દનો કેસ શંકાસ્પદ નોંધાયો છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
રાજ્યમાં ગઈકાલ સુધી કોરોનાના કુલ 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી તમામ 68 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકારે Coronavirus ના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને Coronavirus ની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.