ભારતીય મૂળના ડૉક્ટર નિશાંત જોશી દ્વારા ચલાવાઇ રહેલા અભિયાનને પગલે બ્રિટિશ સરકારે પૂર્વમાં જાહેર કરાયેલા આદેશમાં બદલાવ કરવો પડ્યો છે. ડૉ. નિશાંત જોશી બ્રિટેન (Britain) ની હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા તબીબી નિષ્ણાંતો માટે વધુ સારા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (PPE) ઉપલબ્ધ બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.
ભારતીય મૂળના ડૉક્ટરના અભિયાનને પગલે બ્રિટિશ સરકારે પોતાના આદેશમાં બદલાવ કર્યો
બ્રિટેને તમામ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ માટે સર્જિકલ માસ્ક અને એફએફપી-2 માસ્કનો ઉપયોગ કરવા જણાવ્યું
તેઓએ શુક્રવારે બ્રિટિશ સરકારના નવા દિશાનિર્દેશોનું સ્વાગત કર્યું જેમા સર્જિકલ માસ્કને અનિવાર્ય કરવામાં આવ્યું છે. ગત કેટલાક સપ્તાહથી 31 વર્ષીય ડૉ. જોશી સોશિયલ મીડિયાનો ઉપયોગ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS) ની અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણના પીડિતોની સારવાર કરી રહેલા તબીબી નિષ્ણાંતો સમક્ષ પીપીઇની અછતનો મુદ્દો ઉઠાવવા કરી રહ્યા છે. તેઓે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વધુ સારા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો માટે સ્પષ્ટ દિશાનિર્દેશ આપવાની માંગ કરી રહ્યા છે.
દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના બેડફોર્ડશાયરમાં ડૉક્ટરે કહ્યું, આ મોટી જીત છે, અમે પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) ની લડાઇ જીતી લીધી છે. સરકારે નવા દિશાનિર્દેશો આપ્યા છે. અને જે મુદ્દાઓ ઉઠાવાયા હતા તેમના પ્રત્યે પહેલાના વલણથી યુટર્ન લીધો છે. જેમકે હોસ્પિટલમાં તમામ જગ્યાઓએ સર્જિકલ માસ્ક અને દર્દીઓના સંપર્ક દરમિયાન ઓછામાં ઓછુ એફએફપી-2 માસ્કનો ઉપયોગ કરવો.
આ સાથે તેઓએ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે, બ્રિટિશ સરકારે શરુઆતમાં જ કેમ આ નિયમો ન બનાવ્યા.