શ્રીનગરના હૈદરપુરા વિસ્તારના 65 વર્ષના વ્યક્તિનું ગુરુવારે કોરોના વાયરસથી મોત થયું છે. જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસ (Coronavirus)થી મોતનો આ પહેલો મામલો છે. શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટૂએ ટ્વીટ કરીને કોરોના વાયરસથી મોતના સમાચાર આપ્યા.
શ્રીનગરના હૈદરપુરા વિસ્તારના 65 વર્ષના વ્યક્તિનું ગુરુવારે કોરોના વાયરસથી મોત
જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસથી 4 લોકોના સંક્રમિત થવા સાથે કુલ કેસની સંખ્યા વધીને 11 થઇ
શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટૂએ ટ્વીટ કર્યું કે કોવિડ 19થી પહેલા મોતના સમાચાર શૅર કરવા સાથે મારી સંવેદના મૃતકના પરિવાર પ્રતિ છે. અમે આપની સાથે છીએ અને આપનું દુ:ખ સમજીએ છીએ. સરકારના પ્રવક્તા રોહિત કંસલે પણ ટ્વિટર પર મોતના સમાચારની પુષ્ટી કરી છે.
રોહિત કંસલે કહ્યું, કોરોના વાયરસને કારણે શ્રીનગરના હૈદરાપુરામાં 65 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. તેના સંપર્કમાં આવેલા 4 લોકો પણ સંક્રમિત જોવા મળ્યા છે. જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસથી 4 લોકોના સંક્રમિત થવા સાથે કુલ કેસની સંખ્યા વધીને 11 થઇ ગઇ છે.
કાશ્મીરના અધિકારીઓએ આશંકા દર્શાવી છે કે કાશ્મીર ખીણમાં કોરોના વાયરસના મામલા વધારે હોઇ શકે છે કેમકે ઘણા લોકોએ પોતાની મુસાફરીની જાણકારી છુપાવી છે. સરકાર અનુસાર જમ્મૂ કાશ્મીરમાં શંકાસ્પદ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 5,124 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.