એક તરફ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો દ્વારા ગુજરાતમાં કોરોનાનો પ્રવેશ થઇ ચૂક્યો હતો. ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનમાંથી પણ કેટલાક લોકો ગુજરાત આવ્યા જેઓ કોરોના સંક્રમિત હતા. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીના મોત થયા છે. જ્યારે 7 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના કેસ - 87
રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ - 7
અત્યાર સુધીમાં આ વાયરસથી કુલ મોત - 6
કોરોના વાયરસ અંગે જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 95 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 75 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 1726 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 1628 નેગેટિવ આવ્યા છે. જ્યારે 11 કેસ પેન્ડિંગ છે.
પોરબંદરમાં 2, સુરતમાં 2 અને પંચમહાલમાં 1 આમ આજે નવા 5 કેસ નોંધાયા છે. જેને લઇને કુલ પોઝિટીવ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. જોકે 71 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. અમદાવાદના એક 57 વર્ષીય મહિલાને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજકોટના પ્રથમ કેસ પોઝિટીવ નોંધાયો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં અમદાવાદમાં 31, સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 11, ભાવનગરમાં 6, કચ્છમાં 1, મહેસાણામાં 1, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 3 અને પંચમહાલમાં 1 આમ રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા છે.
જીલ્લાનું નામ
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુઆંક
અમદાવાદ
31
5
3
ભાવનગર
6
0
2
ગાંધીનગર
11
0
0
ગીર સોમનાથ
2
0
0
કચ્છ
1
0
0
મહેસાણા
1
0
0
પોરબંદર
3
0
0
રાજકોટ
10
0
0
સુરત
12
1
1
વડોદરા
9
1
0
કુલ
87
7
6
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા
સુરતના પાંડેસરા બમરોલીમાં નોકરી કરતા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રર વર્ષનો યુવાન ડીમાર્ટ મોલમાં નોકરી કરતો હતો. જેને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે આ યુવાનની કોઈ ટ્રાવેલ હિસ્ટરી સામે નથી આવી. તો બીજી તરફ 36 વર્ષીય મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સુરતમાં કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 86 થયા છે. જ્યારે વધુ 13 કેસના કોરોના સેમ્પલ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ પોરબંદરમા બે નવા કોરાના પોઝેટીવ કેસ નોંધાતા પોરબંદરમાં કુલ કોરાના પોઝેટીવ 3 કેસ નોંધાયા છે.
AMC હવે કોરોના પોઝિટીવ દર્દીઓના નામ જાહેર કરશે
અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીના નામ જાહેર કરાશે. AMC તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરશે અને જો કોઈ નાગરિક દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો તેની જાણ કરવાની રહેશે. તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જો કે નામ જાહેર થયેલા દર્દીઓ સાથે કોઇ દુર્વ્યહાર કરાશે નહીં.