કોરોના વાયરસ / અત્યાર સુધીમાં કોરોનાના 1726 ટેસ્ટ કરાયા, કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીઓ સાજા થયાઃ જયંતિ રવિ

Coronavirus cases Gujarat rise  87 Health Principal Secretary Jayanti Ravi 1 april 2020

એક તરફ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો દ્વારા ગુજરાતમાં કોરોનાનો પ્રવેશ થઇ ચૂક્યો હતો. ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનમાંથી પણ કેટલાક લોકો ગુજરાત આવ્યા જેઓ કોરોના સંક્રમિત હતા. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીના મોત થયા છે. જ્યારે 7 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ