ચીનમાં કોરોના વાયરસના કારણે શનિવારે 89 લોકોના મોત થયા હતા અને રવિવારે પણ વધુ લોકોના મોત થવાના કારણે મોતનો આંક 910ને પાર કરી ચૂક્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 40505ની પહોંચી છે. હાલ સુધીમાં કુલ 3300 લોકોને કોરોના વાયરસમાં સારવારથી રાહત મળી છે.
કોરોના વાયરસનો કહેર
ચીનમાં મૃત્યુઆંક 910ને પાર
સંક્રમિત લોકોની સંખ્યા 40505, 3300 લોકોને મળી રાહત
મળતી માહિતી અનુસાર શનિવારે ચીનમાં વાયરસે 89 લોકોનો જીવ લીધો હતો. આ બાદ રવિવારે પણ કેટલાક લોકોના મોત થયા છે. શનિવારે 600 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય આપાતકાલીન કાર્યક્રમ પ્રમુખ માયકલ રેયાને કહ્યું કે ચીનના હુબેઈમાં આવી રહેલા કોરોના વાયરસના કેસમાં હવે થોડી રાહત મળી છે. આ એક સારા સમાચાર છે પણ તેને માટેની કોઈ પણ આગાહી કરવી એ થોડું વધારે વહેલું ગણાશે.
સાર્સને છોડ્યો પાછળ
વર્ષ 2002 અને 2003ની વચ્ચે સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ નામના વાયરસે તબાહી મચાવી હતી, હવે કોરોના તેનાથી આગળ નીકળી ચૂક્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોનો આંક સાર્સના આંકડા કરતાં પાંચ ગણો વધારે છે. સાર્સના કારણે 8098 લોકો સંક્રમિત થયા હતા.
કોરોનાના 3 વધુ શંકાસ્પદ કેસ એડમિટ
રવિવારે કોરોના વાયરસના વધુ 3 શંકાસ્પદ દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ હાલમાં જ ચીનની યાત્રાથી પરત આવ્યા છે.
ઋષિકેશ એમ્સ પહોંચ્યા કોરોનાના 2 શંકાસ્પદ દર્દી
અહીં આવેલા 2 શંકાસ્પદ દર્દીઓના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ સુધી અહીં 7 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે જેમાં 3નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, 1 નો રિપોર્ટ આવ્યો નથી અને એકને ઓછી શંકાના આધારે પરીક્ષણ કરાવાયું નથી. જેનો રિપોર્ટ નકારાત્મક છે તેને સારવાર બાદ રજા આપવામાં આવી છે.