ગુજરાતમાં લોકડાઉનના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતેના શાકમાર્કેટમાં લોકોની ભીડ એકઠા થવા જોવા મળતી હતી. ત્યારે કોરોના વાયરસને લઇને લોકડાઉનની વચ્ચે પહેલીવાર જમાલપુર માર્કેટને શહેરની બહાર જેતલપુર ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને આજરોજથી જેતલપુર ખાતે માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં જેતલપુર ખાતે શરૂ કરાઈ APMC
પ્રથમવાર જમાલપુર APMC બંધ કરી જેતલપુરમાં કરાઈ શરૂ
હોલસેલ વેપારીઓ અને ખેડૂતો જેતલપુર ખાતે પહોંચ્યા
અમદાવાદમાં જેતલપુર ખાતે APMC માર્કેટ શરૂ કરાયું છે. પ્રથમવાર જમાલપુર માર્કેટ બંધ કરી અને જેતલપુરમાં માર્કેટ શરૂ કરાયું છે. ત્યારે હાલ હોલસેલના વેપારીઓ અને ખેડૂતો જેતલપુર પહોંચ્યા છે. કોરોના વાયરસને લઇ જમાલપુર માર્કેટમાં ભીડ ઓછી કરવા માર્કેટને બંધ કરી અને જેતલપુર લઇ જવાયું છે. જ્યાં માત્ર હોલસેલ વેપારીઓ માટે જ માર્કેટને ખુલ્લુ રખાયું છે.
અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ 3જી તારીખ શુક્રવારથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના વધતા ખતરાને લઇને APMC દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ વર્ષો બાદ જમાલપુર માર્કટ બીજીવાર બંધ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ વર્ષ 2002માં કોમી તોફાનોને લઈને માર્કેટને બંધ કરાયું હતું. જો કે જમાલપુર ખાતે બંધ કરવામાં આવતાં તે શાકમાર્કેટમાં આવતા ખેડૂતો-વેપરીઓ આજથી જેતલપુર અનાજ માર્કેટ ખાતે શાકભાજી માર્કેટ આવી પહોંચ્યા હતા.
રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકડાઉનને લઇને અમદાવાદની જમાલપુરમાં લોકો એકઠા જોવા મલતાં હતા. જમાલુપર માર્કેટમાં શાકભાજીના વેપારીઓ હોડ યથાવત જોવા મળતી હતી. માર્કેટમાં નાગરિકોની ભીડને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આમ ભીડને લઇને જમાલપુર શાક માર્કેટને શહેરની બહાર ખસેડાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ જમાલપુર શાક માર્કેટને જેતલપુર અનાજ માર્કેટમાં શિફ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.