એકબાજુ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ શહેરમાં ગઇકાલે કોરોનાના દર્દીઓને લઇને સામે આવેલ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઇને તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. કોરનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળ્યો હોવાના વાયરલ વીડિયોએ તંત્રની પોલ ખોલી નાંખી હતી. જો કે હાલ મળેલા અહેવાલ મુજબ ઘોર નિંદ્રામાંથી જાગેલ તંત્ર દ્વારા આ કોરોના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે વાયરલ થયેલા વીડિયોમાં કોરોનાના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન મળતા તંત્ર ટીકાપાત્ર બન્યું હતું. જો કે વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. ત્યારે મોડી રાત્રે કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી ટ્રીટમેન્ટ ચાલુ કરાવામાં આવી.
જો કે આવામાં સવાલ એ થાય છે કે સરકારને તંત્ર દ્વારા કોરોના જેવી મહામારીને સમયે બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે ને તમામને સારવાર મળી રહી છે એમાં પોલમપોલ જોવા મળી રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 19, 2020
અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ-19ની હોસ્પિટલ તૈયાર કરવાની જાહેરાત કરાઈ હતી. ગઇકાલે મોડીરાતે આ કોવિડ હોસ્પિટલની પોલ ખુલી હતી. અમદાવાદ શહેરના ગાંધી રોડ પર આવેલા વાલંદાની હવેલીના 25 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
જોકે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ 7 કલાક સુધી બહાર રઝળ્યા હતા. જેથી એક પોઝિટિવ દર્દીએ વીડિયો બનાવીને જાહેર કર્યો હતો. 7 કલાક સુધી બહાર રઝળ્યા બાદ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 19, 2020
આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે વ્યવસ્થાને લઈને હોબાળો કર્યો હતો. સેફ્ટીના સાધનોને લઈને નર્સિંગ સ્ટાફે વિરોધ કર્યો હતો. આમ મોટા-મોટા દાવાઓ વચ્ચે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવતા તંત્રની પોલ ખુલી છે.