AHNAના પ્રમુખ ડૉ.ભરત ગઢવીએ કહ્યું કે, સરકારમાં નોંધાય છે તેના કરતા બમણાં કેસ છે. તેનું કારણ એ છે કે, સેલ્ફ ટેસ્ટ કીટથી ટેસ્ટ કરતા દર્દીઓ વધારે. એ આંકડો ચોપડે નહિ.સફોતક
કોરોના સંક્રમણમાં અમદાવાદની સ્થિતિ સ્ફોટક
સરકારી ચોપડા કરતા દર્દીઓ વધુ; ડો. ગઢવી
સેલ્ફ ટેસ્ટ કીટથી ટેસ્ટ કરાતા દર્દીઓ વધારે
રાજ્યમાં બેકાબુ બની રહેલા કોરોના સંક્રમણ દરમિયાન અમદાવાદ શહેરની સ્થિતિ સ્ફોટક બનતી જઈ રહી છે. આ જ મુદ્દે નિવેદન આપતા AHNAના પ્રમુખ ડૉ.ભરત ગઢવીએ કહ્યું કે, સરકારમાં નોંધાય છે તેના કરતા બમણાં કેસ છે. તેનું કારણ એ છે કે, સેલ્ફ ટેસ્ટ કીટથી ટેસ્ટ કરતા દર્દીઓની સંખ્યા વધારે હોવાથી એ આંકડા સરકારી ચોપડે ચઢતા નથી. અને અન્ય ટેસ્ટ ન કરાવી આઇસોલેટેડ થતા દર્દીઓની સંખ્યા પણ વધારે છે. મોટા ભાગના લોકો જાતે જ દવા લઇ આઇસોલેટેડ થઇ રહ્યાં છે. ડો ગઢવીએ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે, જાન્યુઆરીના અંત સુધી પીક આવી શકે છે.કોમોર્બીડ, ડાયાબીટીસના દર્દીઓ અને વેક્સિન ન લેનારને વધુ અસર થઇ રહી છે. દરમિયાન 45થી વધુની વયના લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 9837 કેસ નોંધાયા છે. બીજી તરફ 7 લોકોનું મૃત્યુ થયું છે. રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. બીજી તરફ નજર કરીએતો ગત 18 જાન્યુઆરીએ 5998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા. જે 19 જાન્યુઆરીએ બમણી ગતિએ કેસ વધ્યા અને 8391 નવા કેસ અને 6ના મોત થયા છે. જ્યારે 20 જાન્યુઆરીએ કોરોનાના કેસ 9 હજારને પાર પહોંચી ચુક્યા છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં ગત 19 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમા 7 દર્દીઓ વેન્ટિલેટર પર હતાં. જે 20મી જાન્યુઆરીએ આંક વધીને 16 પર પહોંચવા પામ્યો હતો. હાલ શહેરની વિવિધ હોસ્પિટલમાં કુલ 710 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે,રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3 664 લોકો સ્વસ્થ થયા છે. તો 28 598 લોકોએ રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે,શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.