કોરોનાની મહામારીએ એક યુદ્ધ સમાન સાબિત થઈ રહી છે. ગુજરાત અને દેશભરમાં લાગેલું લોકડાઉનમાં રોજે રોજ સંવેદનાસભર કિસ્સાઓ મીડિયા સમક્ષ લાવી રહ્યું છે. આજે ફરી એવો જ એક કિસ્સો ધ્યાને આવ્યો છે. વાત કરવી છે ગુજરાતના એવા જિલ્લાની જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો નથી વલસાડ. કોરોના વોરિયર્સ એવાં વલસાડ જિલ્લાના ક્લેક્ટર સી આર ખરસાણના માતાનું નિધન થયાના 24 કલાકમાં જ કોરોનાની પરિસ્થિતિ સામે લડવાં કલેક્ટર ફરજ પર પરત ફર્યા.
વલસાડના ક્લેક્ટર સી.આર ખરસાણ પોતાના પરિવાર સાથે વલસાડમાં જ રહે છે. પરંતુ લોકડાઉન પહેલાં બનાસકાંઠામાં સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી તેમના માતા રેવાબેન ત્યાં ગયા હતા. જો કે લોકડાઉનની જાહેરાત થતાં લગ્ન મોકુફ રહ્યા. એટલે માતાથી ચિંતિત દીકરા ખરસાણ સાહેબે ફોન કર્યો કે બા લેવા આવું, તો રેવાબાએ કહ્યું ના હવે લોકડાઉન પતે પછી જ હું વલસાડ આવીશ ત્યાં સુધી અહીં બનાસકાંઠા જ રહીશ. વિધિની વક્રતા એવી કે લોકડાઉન પતે તે પહેલાં જ માતા રેવાબેન સ્વર્ગવાસ થયા. આ સમાચાર સાંભળતાં જ ક્લેક્ટર ખરસાણ તાત્કાલિક બનાસકાંઠા દોડ્યા.
જો કે માતાની સાથે અંતિમ મુલાકાત તો ના થઈ. પરંતુ રેવાબાની અંતિમ વિધિ પતાવી તરત જ માત્ર 24 કલાકમાં કલેક્ટર ખરસાણ વલસાડ જિલ્લાની ટીમ વચ્ચે પરત ફર્યા. જિલ્લાના વહીવટી તંત્રની ટીમની હર્યાધારણા આપ્યા છતાં કે સાહેબ બધુ સારેવાન થાય પછી આવજો છતાં તેઓ કોરોનાની લડતમાં જીતવા વલસાડ પહોંચ્યા.