વૈજ્ઞાનિકોની ટીમે સંક્રમિત થયેલા 103 લોકોનું રિસર્ચ કર્યું તો જાણ્યું કે ડેલ્ટા વિના વેક્સિન વાળા લોકો જે અલ્ફાની ઝપેટમાં આવ્યા તેની તુલનામાં ઓછા સંવેદનશીલ છે.
એન્ટીબોડીઝને પણ માત આપી રહ્યું છે ડેલ્ટા વેરિઅન્ટ
વેક્સિન લીધા બાદ પણ રહે છે ખતરો
વેક્સીનેશનમાં વધારે ઝડપ લાવવાની જરૂર
વૈજ્ઞાનિકોની ટીમે સંક્રમિત થયેલા 103 લોકોનું રિસર્ચ કર્યું તો જાણ્યું કે ડેલ્ટા વિના વેક્સિન વાળા લોકો જે અલ્ફાની ઝપેટમાં આવ્યા તેની તુલનામાં ઓછા સંવેદનશીલ છે. 59 લોકોના સેમ્પલમાં એસ્ટ્રાજેનેકા અને ફાઈઝરની વેક્સિનના બંને ડોઝ કે એક ડોઝ લેવાઈ ચૂક્યા હતા. ટીમે રિસર્ચમાં જાણ્યું કે એક ડોઝ લેનારાના 10 ટકામા ઈમ્યુનિટી જોવા મળી જે ડેલ્ટા અને બીટા વેરિઅન્ટને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ હતી. વેક્સિનના બીજા ડોઝ 95 ટકા અસરકારક રહ્યા છે. બંને વેક્સિન લીધા બાદ એન્ટીબોડીમાં કોઈ ખાસ અંતર જોવા મળ્યું નથી. આ કારણ હોઈ શકે કે ડેલ્ટા વેરિઅન્ટ વેક્સિન લગાવી ચૂકેલા લોકો માટે પણ ખતરા સમાન છે.
વેક્સીનેશનમાં વધારે ઝડપ લાવવાની જરૂર
દુનિયામાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંક 40 લાખ થયો છે ત્યારે ડેલ્ટા વાયરસના સ્વરૂપના સામે આવ્યા બાદ વેક્સિનેશનને ઝડપથી વેગ આપવાની જરૂર વધી છે. દોઢ વર્ષના મોતના આંકડા 1982માં થયેલા યુદ્ધમાં શહીદ થયેલા લોકોના બરોબર છે. અનેક લોકોનું માનવું છે કે આ સંખ્યા વાસ્તવિક નથી. આંકડાને છૂપાવવામાં આવી રહ્યા છે. ભારતમા ડેલ્ટા સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે.
વાસ્તવિક સંખ્યાથી ઓછા છે મૃત્યુ આંકઃ ડબલ્યૂએચઓ
દુનિયામાં કોરોનાથી જીવ ગુમાવનારાનો નવો આંક આવ્યા બાદ ડબલ્યૂએચઓના પ્રમુખે કહ્યું છે કે આ એક મહામારીની ખતરનાક સ્થિતિ છે. તેઓએ કહ્યું કે 40 લાખ મોતનો આંકડો વાસ્તવિક સંખ્યાથી ઓછો છે અને અનેક જગ્યાએ તેની યોગ્ય જાણકારી આપવામાં આવી રહી નથી. તેઓએ રસી અને સુરક્ષા ઉપરકરણોની જમા ખોરીને લઈને અમીર દેશ પર નિશાન સાધ્યું છે. સાથે પાબંધીમાં ઢીલ આપી રહેલા દેશને કહ્યું કે એવું કામ કરી રહ્યા છે જાણે કે મહામારી ખતમ થઈ ચૂકી છે.