ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રોમાં પણ ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોના વાયરસની વચ્ચે દેશમાં અલગ અલગ ભાગોમાં પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે. ભારતમાં પાછલા થોડા દિવસોથી કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે રવિવારે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે જમાવ્યું કે હવે ધીરે-ધીરે પેરી-અર્બન, ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રોમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે.
પ્રાથમિક સ્વાસ્થ્યને મજબૂત કરવાની જરૂર
ગાઈડલાઈન જાહેર કરતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે આ ક્ષેત્રોમાં કોવિડ-19 વિરૂદ્ધ જંગને ઝડપી કરવા માટે દરેક સ્તર પર પ્રાથમિક સ્તરના સ્વાસ્થ્યને મજબૂત કરવાની જરૂર છે.
સંક્રમણ માટે સક્રિય દેખરેખની જરૂર
સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈનમાં જણાવ્યું કે દરેક ગામમાં, ગ્રામ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિની મદદથી સમય-સમય પર ઈન્ફ્લૂએન્જા જેવી બિમારી, ગંભીર કે તીવ્ર શ્વસન સંક્રમણ માટે સક્રિય દેખરેખની જરૂર છે.