અમદાવાદ શહેરમાં ફરી એક કોરોનાએ માથુ ઉચક્યું છે.. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહમાં 144 જેટલા સિવિયર કોરોનાના દર્દી દાખલ થયા છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં કોરોના આંશિક કાબૂમાં છે. રોજ આવતા સરેરાશ કેસમાં ઘટાડો થયો છે. સાથે જ કોરોનાના મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. જો કે, હવે ફરીથી કોરોનાએ માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે