વૈજ્ઞાનિકોએ સંશોધનના આધારે જણાવ્યું કે, 'ઓમિક્રોનના કારણે બાળકોમાં હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધારે રહેલું છે.'
વૈજ્ઞાનિકોનો ઓમિક્રોનને લઇને ચોંકાવનારો દાવો
કોરોનાના અન્ય વેરિઅન્ટ્સની સરખામણીએ ઓમિક્રોન બાળકો માટે જોખમકારક
યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં અભ્યાસ કરવામાં આવ્યો
કોરોનાના કહેર વચ્ચે વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓ જણાવી રહ્યાં છે કે, અન્ય કોરોના વેરિઅન્ટ્સની સરખામણીએ ઓમિક્રોન બાળકો માટે વધુ ખતરનાક છે. ઓમિક્રોનના કારણે બાળકોમાં હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધારે છે. તેનું કારણ ઓમિક્રોનના કારણે તેમના ઉપરના વાયુમાર્ગમાં થનારું સંક્રમણ (UAI)છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધી હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોનાના દર્દીઓ પર બીમારીની અસરનું મૂલ્યાંકન કર્યું.
ઓમિક્રોનના કારણે નાના બાળકોને UAI નું જોખમ વધારે
અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી અને સ્ટોની બ્રૂક યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનના કારણે નાના બાળકોને UAI નું જોખમ વધારે છે. એમાંય ઓમિક્રોન સંપૂર્ણ રીતે હાવી થાય એ પહેલાં સરેરાશ 4 વર્ષ 5 મહિનાના બાળકોને વધારે જોખમ હતું. આ સાથે ઓમિક્રોનની સક્રિય લહેર દરમિયાન બે વર્ષ સુધીના બાળકો પર પણ તેનું જોખમ વધારે વધી જાય છે.
જો કે, ગંભીર ક્રોનિક સ્થિતિની જો વાત કરીએ તો લહેર પહેલાં અને તે દરમિયાન દાખલ થયેલા બાળકોની સંખ્યામાં બહુ તફાવત ન હોતો. માત્ર 21.1 ટકા બાળકોમાં જ કોરોના અને UAE બંનેની સ્થિતિ નાજુક હતી. જેમાં શ્વાસ લેવા માટે તેઓની અંદર ટ્યુબ નાખવી પડી. વારંવાર સ્થિતિ બગડવાના કારણે આવાં બાળકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.આ સંશોધન ગયા સપ્તાહે જ JAMA Pediatrics general માં પ્રકાશિત થયું હતું.
ઈન્સાકોગે કહ્યું કે, ઓમિક્રોનની જેમ આ વખતે રસીકરણ પણ કરી રહી છે લોકોનો બચાવ
જીનોમ સિક્વન્સિંગ નેટવર્ક ઈન્સાકોગના જણાવ્યાં અનુસાર, અનેક પ્રશ્નો ઉભા થયા બાદ પણ એન્ટી-કોરોના રસી દેશમાં કરોડો લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે. નવી દિલ્હી સ્થિત IGIB ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. વિનોદ સ્કારિયાનું કહેવું છે કે, ઓમિક્રોનની જેમ આ વખતે પણ દેશમાં મહામારીની અસર નિયંત્રણમાં છે, જે સીધી રીતે કોરોના રસીકરણના કારણે શક્ય બની છે. તેઓએ કહ્યું કે, મહામારીની લહેર અમુક સમયાંતરે આવતી રહેશે, પરંતુ એન્ટી-કોરોના રસી દ્વારા સંક્રમણની અસરને હળવી રાખી શકાય છે.
લાહૌલ સ્પીતિમાં સાપ્તાહિક સંક્રમણ દર 16.67 ટકા
અરુણાચલ પ્રદેશ, કેરળ, મિઝોરમ, મેઘાલય અને આસામના કેટલાંક જિલ્લાઓમાં પણ સાપ્તાહિક સંક્રમણનો દર પાંચ ટકા કે તેથી વધુ નોંધાયો છે. આ યાદીમાં કેરળના 15 જિલ્લાઓનો સમાવેશ થાય છે.
કોવાક્સિન પહોંચી ઉત્તર અમેરિકા, મેક્સિકોમાં મળી પરવાનગી
ભારતની સ્વદેશી વેક્સિન Covaxin હવે ઉત્તર અમેરિકામાં પણ પહોંચી ગઈ છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ યુએસ અને કેનેડા માટે ઓકુજેન કંપની સાથે કરાર કર્યો હતો. આ સાથે મેક્સિકોમાં કોવાક્સિનને પણ મંજૂરી આપવામાં આવી છે. મેક્સિકોના વિદેશ સચિવ માર્સેલો એબ્રાર્ડ સાથેની બેઠક બાદ બોર્ડના અધ્યક્ષ ડૉ. શંકર મુસુનૂરીએ જણાવ્યું કે, તેઓ મેક્સિકોમાં કોવાક્સિનનું વ્યાપારીકરણ કરવા ઉત્સાહિત છે.