દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી પગપેસારો કરી રહ્યો છે ત્યારે ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે આંખને અને શ્રવણ શક્તિને પણ નુકસાન કરે છે.
કોરોનાની બીજી લહેર બની ખતરનાક
ડોક્ટર્સની ચેતવણીએ વધારી ચિંતા
શરીરમાં આંખ અને શ્રવણ શક્તિને કરે છે નુકસાન
જાણો અન્ય નવા લક્ષણો વિશે પણ
દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ નવા કેસ આવ્યા છે ત્યારે બીજી લહેરનો પ્રકોપ સતત વધતો જોવા મળી રહ્યો છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ વખતનો કોરોના આંખ અને શ્રવણ શક્તિને નુકસાન કરી રહ્યો છે. આ નવો સ્ટ્રેન વાયરલ તાવની સાથે સાથે ડાયરિયા, પેટ દર્દ, ઉલ્ટી, અપચો, ગેસ, એસિડિટી, ભૂખ ન લાગવી અને શરીર દુઃખવાની ફરિયાદ પણ આપી રહ્યો છે. જેમ જેમ કોરોનાનું સંક્રમણ ફેલાય છે તેમ તેમ આ લક્ષણો સામે આવે છે.
હોસ્પિટલમાં એડમિટ દર્દીને થાય છે આ તકલીફો
અનેક કોવિડ હોસ્પિટલમાં એડમિટ દર્દીને કોરોનાના કારણે જોવામાં અને સાંભળવામાં મુશ્કેલી આવી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે અનેક દર્દીની આ ફરિયાદ કોરોના બાદ જોવા મળી છે. તેઓ કહે છે કે ગંભીર સ્થિતિ થાય તો શરીરના અનેક અંગ પ્રભાવિત થવા લાગે છે અને આંખ અને કાન પર તેની સૌથી વધારે અસર જોવા મળે છે.
બેદરકારી છોડીને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ
જાણકારોનું કહેવું છે કે આ વખતે જે રીતે ઝડપથી કોરોનાએ પોતાનું રૂપ બદલ્યું છે તે પછી ચિંતા સતત વધી છે. કોરોના વધતા ડોક્ટર્સનું માનવું છે કે બેદરકારી છોડીને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ એકમાત્ર ઉપાય છે. ડોક્ટર કહે છે કે કોરોનાના નવા વેરિઅન્ટના કેસમાં રાહતની વાત એ છે કે નવો સ્ટ્રેન રોગીની પ્રતિરોધક ક્ષમતાને સારી હોય તો વધારે સમય સુધી હેરાન કરતો નથી. તે દર્દી 5-6 દિવસમાં રિકવર થવા લાગે છે.