કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વાર ફરી PPEની અછત અને ખરાબ ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલીટી પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે દેશમાં કોરોના ટેસ્ટ બહું ઓછા થઈ રહ્યા છે તે બહું ગંભીર બાબત છે એેમ પણ જણાવ્યું હતુ.
સોનિયાનો આરોપ -સૂચનો પર ધ્યાન નથી આપી રહી સરકાર
સોનિયાએ PPE કિટની અછત પર સવાલ ઉઠાવ્યા
મજુરો, ખેડૂતો અને ગરીબોના ખાતામાં 7500 નાંખવા જોઈએ
મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે વારંવાર અમે ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ નથી એમ કહ્યું છે. છતા ટેસ્ટિંગ ઓછા થઈ રહ્યા છે અને PPE કિટ નબળી ક્વોલીટીના છે. અમે સરકારને અનેક આઈડિયા આપ્યા છે પણ સરકાર અમારી સલાહ પર ધ્યાન નથી આપી રહી.
બેઠકમા સોનિયા ગાંધીએ માંગણી કરી હતી કે ગરીબો અને મજૂરો તેમજ ખેડૂતોના ખાતામાં 7500 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મજુરોને અનાજ પુરુ પાડવા તાત્કાલીક પગલા ભરવામાં આવે. આપણે કોરોના વોરિયર્સનો આભાર માનવો જોઈએ કેમ કે તેઓ મેડિકલ ઈક્વિપમેન્ટ વગર લોકોની સેવા કરી રહ્યા છે.
The doctors, nurses, paramedics, health workers, sanitation workers and essential service providers, NGOs and the lakhs of citizens providing relief to the most needy all over India, their dedication and determination truly inspire us all: Congress President Sonia Gandhi https://t.co/J9J9x4UB1d
સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉનથી ખેડૂતો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. નબળી અને સ્પષ્ટતા વગરની વેચાણ નીતિઓને કારણે તેમને સમસ્યાનો સામનો કરવો રડી રહ્યો છે. તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવે. ખરીફ ખેતી માટે સુવિધા આપવામાં આવે.
તેમણે એમ પણ કહ્યુ છે કે મજૂરો અનેક જગ્યાએ ફસાયેલા છે ઘરે જવા માંગે છે. તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન તેમને ભોજન અને નાણાની સહાયતા ઉપલબ્ધ કરાવવી જોઈએ.