મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કોરોનાથી હજુ પણ સંભાળીને રહેવાની જરૂર છે. દેશમાં પોઝિટિવ રેટ 2.29 ટકા છે.
દેશમાં કોરોના ખતમ થયો નથી
સંભાળીને રહેવાની જરૂર છેઃ શિવરાજ સિંહ
દેશમાં કોરોનાનો પોઝિટિવ રેટ 2.29 ટકા
હજુ કોરોના ખતમ થયો નથી, આપણે સંભાળીને રહેવું પડશેઃ શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જબલપુરમાં કહ્યું કે હજુ સુધી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કેસની સંખ્યા ઓછી છે અને સાથે કોરોના ખતમ થયો છે એવું માનવું નહીં. અનેક પ્રદેશ છે જ્યાં કેસ ઘટ્યા હોવા બાદ ફરી વધ્યા છે. આપણે સંભાળીને રહેવાની જરૂર છે. દેશમાં પોઝિટિવ રેટ 2.29 ટકા છે અને છેલ્લા 16 દિવસમાં તે 3 ટકાથી ઓછો રહ્યો છે. સેમ્પલ્સના સંક્રમિત આવવાના વીકલી પોઝિટિવ રેટ પણ ઓછા થઈને 2.39 ટકા થયા છે.
શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડા અનુસાર એક દિવસમાં કોરોનાના 43733 નવા કેસ આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 3,06,63,665 થઈ છે. એક્ટિવ દર્દીની સંખ્યા ઘટીને 4,59,920 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સવારે 8 વાગે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં 930 વધુ લોકોના સંક્રમણ બાદ મોત થયા છે અને કુલ મૃત્યુઆંક પણ 4,04,211 થઈ ચૂક્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે અને 4,59,920 થઈ છે. જે કુલ કેસના 1.50 ટકા છે. દર્દીના સાજા થવાનો દર 97.18 ટકા રહ્યો છે.
16 દિવસથી સતત પોઝિટિવ રેટ 3 ટકાથી ઓછો
દેશમાં કેટલાક દર્દીઓ સંક્રમિત આવ્યાનો પોઝિટિવ રેટ 2.29 ટકા છે. આ 16 દિવસના ઓછો એટલે કે 3 ટકાથી પણ ઓછો છે. સેમ્પલના વિકલી પોઝિટિવ રેટ પણ ઘટીને 2.39 ટકા થયા છે. સતત 55મા દિવસે નવા સંક્રમણની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં કુલ 2,97,99,534 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે અને કોરોનાથી મૃત્યુદર 1.32 ટકાનો રહ્યો છે.