જૂનાગઢ વંથલીના ટિકર ગામે 8 લોકો કોરોનાગ્રસ્ત, ટિકર ગામમાં 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વકરતો જતો કોરોના
વંથલીના ટિકર ગામે 8 લોકો કોરોનાગ્રસ્ત
ટિકર ગામમાં 10 દિવસનું લોકડાઉન
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પાલનપુરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. પાલનપુરમાં એક જ દિવસમાં 22 કેસ સામે આવ્યા છે. ડીસામાં 7 કેસ તથા લાખણીમાં 2 કેસ નોંધાયા હતા. ઉલ્લેેખનીય છે કે શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. વંથલીના ટિકર ગામે 8 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ટિકર ગામમાં 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દિવસમાં માત્રે બે કલાક જ દુકાન ખુલશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 664 કેસ અને ગ્રામ્યમાં 123 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 545 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 179 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 309 કેસ, જ્યારે ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 233 કેસ અને ગ્રામ્યમાં 43 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...