ઘણા લોકોના મનમાં એવો સવાલ ઉભો થાય છે કે, આખરે જ્યારે દેશની અર્થ વ્યવસ્થા સંકટમાં છે તો ભારતીય રિઝર્વ બેંક બેહિસાબી નોટ છાપીને સરકારની મદદ કેમ નથી કરી રહી, ખાસ કરીને કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોને બેંક પાસેથી વધુ આશા રહી છે. ગુગલ અને કોરા જેવા પ્લેટફોર્મ ઉપર પણ આવા સવાલ પૂછવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસનો આતંક
શા માટે રિઝર્વ બેંક નથી છાપી રહી વધારાની નોટ, લોકોના મનમાં ઉઠ્યા સવાલ
વધારાની નોટ છાપવાથી મંદીમાં પણ થાય છે વધારો
ત્યારે આ મામલે હવે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે, રિઝર્વ બેંકને વધારે નોટ છાપીને આ સમયમાં મદદરૂપ થવું જોઇએ. ત્યારે આપને જણાવી દઇએ કે, નોટ છાપવી એટલું સરળ નથી હોતું અને રિઝર્વ બેંક કેમ બચી રહ્યું છે?
પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપ્યું નિવેદન
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, આ સમય અર્થવ્યવસ્થાને સહારો આપવા ખર્ચ વધારવાની જરૂર છે. આવું ન કર્યું તો નુકસાન થશે. તેમણે આ અસાધારણ સમયમાં ગરીબ તથા પ્રભાવિતો સાથે અર્થવ્યવસ્થાની સુરક્ષાને લઇને સરકારી દેવા માટે રિઝર્વ બેંક દ્વારા વધારાની નોટ જાહેર કરવા અને રાજકોષીય ખાધનો સમયગાળો વધારવાની વકીલાત કરી હતી.
વધારાની નોટ છાપવાની ચૂકવવી પડે છે મોટી રકમ
અસલમાં વધારે નોટ છાપવાથી જે સમસ્યા થાય છે તેને જોતા રિઝર્વ બેંક જ નહીં પરંતુ કોઇપણ બેંક અગણીત કરન્સી છાપવાથી બચે છે. પહેલા જે દેશમાં આવો પ્રયાસ કર્યો તેમણે ભારે કિંમત ચૂકવવી પડી છે.
કેટલી નોંધ પ્રિન્ટ કરવી તે કેવી રીતે નક્કી કરવું
નાણાકીય વર્ષમાં કેટલી ચલણ છાપવાની છે તે માટે, રિઝર્વ બેન્ક પ્રથમ જુએ છે કે કેટલી ચલણ ચલણમાં છે. આ સિવાય, અર્થવ્યવસ્થા અને અન્ય ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. તે પછી કેટલું ચલણ છાપવું તે નક્કી થાય છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019 માં દેશમાં નોટોનું પરિભ્રમણ 21.1 લાખ કરોડ રૂપિયા હતું. અગણિત
કેવી રીતે નક્કી થાય છે કે કેટલી નોટ છાપવાની છે
કોઇપણ નાણાકીય વર્ષમાં કેટલી કરન્સી નોટ છાપવાની છે તેના માટે રિઝર્વ બેંક સૌથી પહેલા તે જોવે છે કે, સર્ક્યુલેશનમાં કેટલી મુદ્રા છે. આ સિવાય ઇકોનોમી અને અન્ય કેટલાય ફેક્ટર્સ પર વિચાર કરવામાં આવે છે. ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવે છે કે, કેટલી કરન્સી છાપવાની છે. RBIએ જાહેર કરે આંકડા પ્રમાણે વર્ષ 2019માં દેશમાં નોટોનું સર્ક્યુલેશન 21.1 લાખ કરોડ હતું.
નોટ છાપવાથી મોઁઘવારી વધે છે
હોરૈસિસ વિઝન કમ્યુનિટી થિંક ટેન્કના સ્થાપક અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ભૂતપૂર્વ ડિરેક્ટર, ફ્રેન્ક જુર્ગન રિક્ટર કહે છે કે આમ કરવાથી ઘણી મોંઘવારી વધશે. તેમના કહેવા પ્રમાણે, જ્યારે અચાનક બધા લોકોને વધુ પૈસા મળશે, ત્યારે તેમની અપેક્ષાઓ પણ વધશે, લોકો ઘણો ખર્ચ કરશે. આને કારણે માલના ભાવ પણ આસમાને પહોંચી જશે.
આ દેશોએ ભોગવ્યું છે દર્દ
વધારે પડતી નોટો છાપવાથી શું થાય છે તે બાબત તો ખરેખર ઝિમ્બાબ્વે વેનેઝુએલાના લોકોથી વધારે કોણ જણાવી શકે છે. તાજેતરમાં વેનેઝુએલા તેના કારણે ગંભીર રીતે ઝઝૂમી રહ્યું છે. ખાસ કરીને કેન્દ્રીય બેંકે ઇકોનોમીને સંભાળવા માટે બેફામ રીતે નોટોની છાપણી કરી. આ દેશમાં 1 કરોડ અને એક ખરબની પણ નોટ છાપવામાં આવી. અંતે પરિણામ એવું આવ્યું કે, 2018માં ત્યાં મોંઘવારી 19 લાખ ટકા વધી ગયું. લોકો ભૂખથી તડપવા લાગ્યા, સુપરમાર્કેટમાં સમાન નથી મળી રહ્યું. અહીં એક લીટર દૂધ અને ઇંડા ખરીદવા માટે લોકોએ લાખો રૂપિયા ચૂકવવા પડે છે.