રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 305 કેસ નોંધાયા છે અને 839 દર્દી સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 3386 પર આવી પહોંચી છે. તો આજે 5 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 10911 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 33 કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ વેન્ટિલેટર પર અને 3353 દર્દી સ્ટેબલ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1207284 પર પહોંચી છે. આજે રાજ્યમાં કુલ 138874 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યભરમાં 10.26 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા છે. તો રિકવરી રેટ વધીને 98.83 ટકા પર પહોંચ્યો છે. જ્યારે વડોદરા શહેરમાં 2, ભરૂચમાં 1, સાબરકાંઠામાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
2 જિલ્લામાં કોરોના 'શૂન્ય'
આજે બોટાદ અને જૂનાગઢ આ બે જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તો હવે બન્ને જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ પણ નહીં. બન્ને જીલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.