દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા, તો આજે ગુજરાતમાં માત્ર 870 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી થોડો ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 870 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 870 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 252 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 28 કેસ તો રાજકોટ શહેરમાં 23 કેસ, વડોદરા શહેરમાં 139 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 27 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2,221 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સુધી 8,014 પહોંચી ગઈ છે. જ્યારે 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
દેશમાં કોરોના શાંત, મોતનો આંકડો ચિંતાજનક
કોરોના કેસમાં થોડી રાહત મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે. સતત બે દિવસથી સંક્રમિતોનો આંકડો પણ 30 હજારથી ઉપર આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા છે. આ દરમિયાન 541 લોકોના મોત થયા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 3.32 લાખ સક્રિય કેસ છે. તે જ સમયે, રોગચાળાની શરૂઆતથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4.19 કરોડ થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે દૈનિક સંક્રમણનો દર ઘટીને 2.61 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટ વધીને 98.03 ટકા થઈ ગયો છે.