ભરૂચમાં આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો, જેમાં હિન્દુ પરિવારોને લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનું સામે આવ્યું છે. ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલ્યું છે. સમગ્ર કેસનો પર્દાફાશ થતા પોલીસે એક મોલવી સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને IPCની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે 37 હિન્દુ પરિવારના 100 લોકોને ગરીબને મકાન-રાશન સહિતની લાલચ આપી ધર્માંતરણ કરાયું હોવાનું ખુલ્યું હતું જેમાં યુપીના ધર્માંતરણ-ફન્ડિંગ કેસના આરોપીએ ફન્ડિંગ કર્યાનું ખુલ્યું છે. ત્યારે કાકરિયાના નાગરિકે SPને અરજી કરતા મામલો બહાર આવ્યો હતો. જેમાં પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે જો કે ગુમામાં સંડોવાયેલો ફેફડાવાલા હાજી અબ્દુલ હાલ વડોદરાની જેલમાં બંધ છે.
હાલ ફેફડાવાલા હાજી અબ્દુલ વડોદરાની જેલમાં બંધ
અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલે વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ કરવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ધર્મગુરૂ જ્યોર્તિનાથ મહારાજનું નિવેદન
ભરૂચના આમોદના કાકરિયા ગામે ધર્મ પરિવર્તન મામલે વડોદરાના ધર્મગુરૂ જ્યોર્તિનાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ગુજરાત સરકાર અને પોલીસ ધર્મપરિવર્તન રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી રહ્યા છે. જ્યોર્તિનાથ મહારાજે ગુજરાતમાં 150થી 200 લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે હોવાની વાત કરી છે તેમજ ધર્મ પરિવર્તન કરાવવા વિદેશથી ફન્ડિંગ મળતું હોવાનું પણ જણાવતા વડોદરામાં પોલીસે સલાઉદ્દીનના કેસમાં કાચુ કાપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે કે જે 6 લોકોના નામ ખુલ્યા તેમને આરોપી ન બનાવ્યા. જ્યોર્તિનાથ મહારાજે વડોદરા પોલીસે ધર્મ પરિવર્તન મામલે યોગ્ય તપાસ ન કરી હોવાનું કહ્યું છે.