ઉમા ખોડલ ટ્રસ્ટ અને સરદાર પટેલ યુવા ગ્રુપના આગેવાનો મનપા આરોગ્ય કચેરી ખાતે ધરણા પર બેઠા હતા, ભાવનગરમાં એક જ સંસ્થાને RT-PCR ટેસ્ટની મંજૂરી અપાતા રોષ
એક જ સંસ્થાને RT-PCRની મંજૂરી
પેથોલોજી સંસ્થાને મંજૂરી આપવા માગ
મંજૂરીને લઈને આગેવાનો ધરણા પર
ભાવનગરમાં એક જ સંસ્થાને RT-PCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઉમા ખોડલ ટ્રસ્ટ અને સરદાર પટેલ યુવા ગ્રુપના આગેવાનો મનપા આરોગ્ય કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. અને ઉમા ખોડલ ટ્રસ્ટ અને સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સંચાલિત આરોગ્ય પેથોલોજી લેબોરેટરીને પણ RC-PCR ટેસ્ટ કરવાની મંજૂરી માટે માગ કરી છે.
આરોગ્ય પેથોલોજી લેબોરેટરીએ ભાવનગર મનપામાં પંદર દિવસ પહેલા RC-PCR ટેસ્ટ કરવાની મંજૂરી માટે અરજી કરી હતી. પરંતુ કમિશનરની મીલીભગતના કારણે હજી સુધી મંજૂરી આપી ન હોવાનો ટ્રસ્ટના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભાવનગરમાં સ્થાનિકોને રાહત દરે સારવાર મળે તે માટે ઉમા ખોડલ ટ્રસ્ટ અને સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા આરોગ્ય પેથોલોજી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે.
ભાવનગરમાં સામાન્ય લોકોને રાહતદરે સારવાર મળે તે માટે માં ઉમા ખોડલ ટ્રસ્ટ અને સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા લેબોરેટરી અને મેડિકલની કરવામાં આવી છે. આ સાથે ટ્રસ્ટ દ્વાર RT-PCRના ટેસ્ટ કરવા માટેની પહેલ કરવામાં આવી છે. અને ભાવનગર મનપા પાસે મંજૂરી માગી હતી. પરંતુ મનપા કમિશનર દ્વારા તેને યેનકેન પ્રકારે મંજૂરી નહીં આપતા સંસ્થાના આગેવાનો કમિશનર અને આરોગ્ય અધિકારી પાસે પહોંચ્યા હતા. અને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી મનપા કચેરીમાં બેસી રહેવાની ચીમકી આપી હતી. તો અધિકારીઓ ઉપરથી મંજૂરી ન મળતી હોવાની વાતને લઈ ખો આપી રહ્યા છે. હાલ ભાવનગરમાં એક જ લેબને RT-PCRની મંજૂરી આપવામાં આવી છે.