ચૂંટણી પહેલાજ કોંગ્રેસ નેતાઓ વચ્ચે અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે. જે વિખવાદ હવે સોશિયલ મીડિયા પર લોકોની સામે આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર હાલ કોંગ્રેસ નેતાઓની કોમેન્ટ ચર્ચાનો વિષય બની છે.
ગુજરાત કોંગ્રેસનો અંદરો અંદરનો વિખવાદ વધ્યો
સોશિયલ મીડિયા પર આવ્યો કોંગ્રેસ નેતાઓનો વિખવાદ
કોંગ્રેસ નેતાઓની પોસ્ટ અને કોમેન્ટ બની ચર્ચાનું કેન્દ્ર
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે કોંગ્રેસનો અંદરો અંદરનો વિખવાદ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. સોશિયલ મીડિયા થકી કોંગ્રેસ નેતાઓ એકબીજા પર હવે વાર કરી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ નેતાઓની પોસ્ટ અને તેમની કોમેન્ટે વાયરલ થઈ રહી છે. જેથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
કોંગ્રેસ નેતા ભાવિક અમીને કરી હતી પોસ્ટ
શહેર કોંગ્રસેના પ્રવક્તા અને સંગઠનના મંત્રીની કોમેન્ટ હાલ ચર્ચાનો વિષય બની છે. તેમા પણ હવે તો જિલ્લા પંચાયતના સભ્યો પણ ફેસબુક પર કોમેન્ટ કરી રહ્યા છે. જેમા કોંગ્રેસ નેતા ભાવિક અમીનની ફેસબુક પોસ્ટ પર હાલ નેતાઓ કોમેન્ટ કરી રહ્યા છે.
અર્જુન પઢીયારે કોમેન્ટ કરીને આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા ભાવિક અમિને એવી પોસ્ટ કરી હતી કે મૌલીન વૈષ્ણવ છે ત્યા સુધી ભાજપ રહેશે. જેથી આ મુદ્દે જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન પઢિયારે મૌલીન વૈષ્ણવની વિરુદ્ધ કોમેન્ટ કરી જે કોમેન્ટમાં તેમણે એવું કહ્યું કે મૌલીન વૈષ્ણ કોર્પોરેશનની ચૂંટણી જીતીને બતાવે સાથે શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમિને પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર પહોચ્યો નેતાઓનો વિખવાદ
ઉલ્લેખનીય છે કે શૈલેષ અમિન દ્વારા ભાવીક અમિન પોસ્ટ પર આ મામવે વિવાદીત કોમે ન્ટ કરવામાં આવી હતી જેમા તેમણે એવું કહ્યું કે મૌલીન વૈષ્ણવને કોઈ હલાવી નહી શકશે નહી. તો બીજી તરફ સન્ની ચૌહાણ દ્વારા એવી કોમેન્ટ કરવામાં આવી કે એની સામે હું લડવાનો છું તમે આવશો મારી જોડે?, જોકે આ અ સમગ્ર મુદ્દે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ નેતાઓ વચ્ચે અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે. જે વિખવાદ હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી રહ્યો છે.