ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને એક્ટિંગને લઇને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે આ અભિનેત્રીએ એવુ નિવેદન આપી દીધુ છે વિવાદનો વંટોળ શરુ થઇ ગયો છે. શ્વેતાએ એક વેબસિરીઝના પ્રમોશન દરમિયાન એવુ નિવેદન આપી દીધુ છે કે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદન અંગે જણાવ્યુ કે આ સહન કરવામાં નહી આવે.
શું કહ્યું ગૃહ મંત્રીએ ?
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે શ્વેતા તિવારીનું નિવેદન ખૂબ જ વાંધાજનક છે. ભોપાલ પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરીને 24 કલાકમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ સ્હેજ પણ ચલાવી લેવામાં નહી આવે. મહત્વનુ છે કે શ્વેતા તેની આગામી વેબ સિરીઝની જાહેરાત માટે ગત દિવસે ભોપાલ પહોંચી હતી. શ્વેતાએ પોતાની ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. શ્વેતાએ અહીં મીડિયા સાથે વાત કરતા વાંધાજનક નિવેદન આપ્યું હતું. તે જ સમયે, તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
एक्ट्रेस #ShwetaTiwari का भोपाल में दिया गया बयान निंदनीय है।
भोपाल पुलिस कमिश्नर मकरंद देउस्कर को 24 घंटे में तथ्यों और संदर्भ की जांचकर रिपोर्ट देने का निर्देश दिया है, जिसके आधार पर निर्णय लिया जाएगा।@DGP_MPpic.twitter.com/76IzK9lqDt
શ્વેતાએ શું આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
ભોપાલમાં વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ સ્ટેજ પર ચર્ચા કાર્યક્રમમાં મજાક ઉડાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેણ કહ્યુ હતુ કે, ' મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે'. શ્વેતાના આ નિવેદન બાદ વિવાદ શરુ થઇ ગયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આવી બાબતે ભગવાનને વચ્ચે લાવવા બદલ લોકો શ્વેતાની ટીકા કરી રહ્યા છે.
શ્વેતા ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી છે
મહત્વનુ છે કે શ્વેતા હંમેશા વિવાદોમાં છવાયેલી જોવા મળે છે ક્યારેક પતિને લઇને તો ક્યારેક અન્ય પારિવારિક સમસ્યાને કારણે. આ પહેલા પણ શ્વેતાનો
પારિવારિક વિવાદ ચર્ચામાં રહ્યો હતો. શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરી સાથેના વિવાદના કિસ્સાઓ હતા, પછી બીજા પતિ અભિનવ કોહલી સાથેના વિવાદોને લઇને ચર્ચામાં આવી હતી.