ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતના સમાચાર આવી રહ્યા છે.
ગુજરાતમાં આવી રહી છે ચૂંટણી
રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત
ગુજરાતની જવાબદારી પીકેને મળે તેવી શક્યતા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતના સમાચાર આવી રહ્યા છે. તેને લઈને કહેવાય છે કે, આ વર્ષના અંતે થનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના અભિયાનને મજબૂત કરવા માટે પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ છે. કોંગ્રેસના બે સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે બંને અલગ થયા બાદ આવા પ્રકારની સ્થિતિ જોવા મળી છે.
ગત વર્ષે વાત થઈ હતી, હવે મળ્યા
ચૂંટણીને લઈને પાર્ટીઓ માટે રણનીતિ બનાવતા પ્રશાંત કિશોર અને કોંગ્રેસની વચ્ચે ગત વર્ષે સપ્ટેમ્બરમાં વાતચીત થઈ હતી. જે બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યાર બાગ કોંગ્રેસે પોતાના ચૂંટણી અભિયાનોમાં ધાર આપવામાં માટે પીકેના એક પૂર્વ સહયોગીની સાથે કરાર કર્યા હતા. તો વળી પ્રશાંત કિશોરે મમતા બેનર્જીના ચૂંટણી અભિયાનોમાાં સાથ આપ્યો હતો.
પીકેની પણ ઈચ્છા છે કોંગ્રેસ સાથે કામ કરવાની
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બે સૂત્રોનું કહેવુ છે કે, પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે ફક્ત ગુજરાતમાં કામ કરવાની રજૂઆત કરી હતી. હાલમાં કોંગ્રેસ તરફથી આ પ્રસ્તાવ પર હજૂ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે, એ સ્પષ્ટ છે કે, પ્રશાંત કિશોર ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
તો વળી કોંગ્રેસના પણ કેટલાય નેતા એવા છે, જે ઈચ્છે છે કે, ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી અભિયાન પ્રશાંત કિશોરની આગેવાનીમાં આગળ વધે. પણ માનવામાં આવી રહ્યુ છે કે, આ તમામ બાબતો પર રાહુલ ગાંધીનો નિર્ણય અંતિમ નિર્ણય હશે.
ગયા વર્ષે કેટલીય વાર થઈ હતી મુલાકાત
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી, રાહુલ ગાઁધી અને પ્રિયંકા ગાંધી સાથે કેટલીય વખત વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીના ઘરે પીકે જતાં હોય તેવી તસ્વીરો પર આવી હતી. કહેવાય છે કે, કોંગ્રેસમાં તેમનું જવાનું નક્કી હતું, પણ અંતિમ સમયે વાત બની નહીં. તો વળી પ્રશાંત કિશોરનું માનવું છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષમાં કોંગ્રેસની ભૂમિકા છે. પણ હાલમાં નેતૃત્વમાં નથી.