કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વાતના સંકેતો આપ્યા છે કે હાલમાં તે યુપીએ અધ્યક્ષ પદ નહીં છોડે. એનસીપી પ્રમુખ શરદ પવારે યુપીએ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠ્યા બાદથી કોંગ્રેસ અસહજતા અનુભવી રહી છે. તેવામાં સોનિયા ફરી સક્રિય રુપે પોતાની ભૂમિકામાં નિભાવવા તૈયાર છે.
સોનિયા ગાંધી હજું આ પદ સંભાળતા રહેશે
બેઠક અધ્યક્ષના નેતૃત્વમાં થવાની છે
કોંગ્રેસ પોતાને જ કેન્દ્રમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં રાખવા ઈચ્છે છે
બેઠક અધ્યક્ષના નેતૃત્વમાં થવાની છે
સોનિયા ગાંધીએ ગત દિવસોમાં પોતે શરદ પવારને ફોન કરી ખેડૂતોના મુદ્દે વિપક્ષી દળોની બેઠક માટે આમંત્રિત કર્યા છે. સંસદ સત્રની ઠીક પહેલા 26 અથવા 27 જાન્યુઆરીએ વિપક્ષી દળોની બેઠક યોજાશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યાનુંસાર બેઠક અધ્યક્ષના નેતૃત્વમાં થવાની છે.
કોંગ્રેસ પોતાને જ કેન્દ્રમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં રાખવા ઈચ્છે છે
હકિકતમાં કોંગ્રેસ પોતાને જ કેન્દ્રમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં રાખવા ઈચ્છે છે. વિપક્ષી દળોનું નેતૃત્વ હાથથી જવા પર બિનભાજપી વિપક્ષી દળોને જોડી તો શકે છે પરંતુ એમ થવા પર ત્રીજા મોર્ચાના વિકલ્પનો રસ્તો મોકળો થવાનો ડર વધે છે. ગત દિવસોમાં રાહુલને પાર્ટી અધ્યક્ષ બનાવવની માંગ બાદ તેમના નેતૃત્વમાં વિપક્ષી દળોને એક પ્લેટફોર્મ પર જોડી રાખવાને લઈને સવાલ ઉઠી રહ્યા હતા.
સોનિયા ગાંધી હજું આ પદ સંભાળતા રહેશે
જો કે હજું સુધી કોંગ્રેસ અધ્યક્ષ જ યૂપીએના ચેરમેન પણ રહ્યા છે. તેવામાં શિવસેનાએ પવારનું નામ ઉછાળીને તેમને યુપીએના ચેરમેનની જવાબદારી સોંપવાની રજૂઆત કરી હતી. જેના પર કોંગ્રેસે સીધી રીતે કંઇ નથીં કહ્યું પરંતુ હવે વિપક્ષને એકજુટ કરવાના નામ પર સોનિયા ગાંધી ફરી સક્રિય થઈને યુપીએમાં શામિલ દળોને સંદેશો આપી રહ્યા છે કે તે હજું આ પદ સંભાળતા રહેશે.