કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલે બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, લગ્નમાં વધારેમાં વધારે 50 જાનૈયા અને 11 મિષ્ટાનની મર્યાદા લાગૂ કરવા માટે કાયદો બનાવો.
કોંગ્રેસ સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
લગ્નમાં પાબંધીઓ લગાવાની વાત
લગ્નોમાં થાય છે લખલૂંટ ખર્ચાઓ
કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલે બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, લગ્નમાં વધારેમાં વધારે 50 જાનૈયા અને 11 મિષ્ટાનની મર્યાદા લાગૂ કરવા માટે કાયદો બનાવો. તેમણે સદનમાં શૂન્યકાળ દરમિયાન આ વાત ઉઠાવી હતી.
લગ્નોમાં થાય છે ખર્ચો
ગિલે કહ્યું કે, આપણા દેશમાં લગ્નમાં બહું મોટો ખર્ચો થાય છે. ઘણા બધાં લોકોને બોલાવામાં આવે છે અને કેટલાય પ્રકારના પકવાન બનાવામાં આવે છે. તેમણે સરકારને આગ્રહ કર્યો કે, હવે કાયદો બનાવવો જોઈએ કે, લગ્નમાં 50થી વધારે જાનૈયા નહીં હોય, તથા જમણવારમાં પણ 11થી વધારે પકવાન ન હોવા જોઈએ.
ગિલે વધુમાં કહ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાનમાં આવો કાયદો બન્યો છે અને અહીં પણ આવો કાયદો બનવો જોઈએ. તેના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આ કાયદાથી નહીં, પણ લોકોની ઈચ્છાશક્તિથી થશે. સાંસદો ખુદ આવુ કરવા લાગશે, તો આખો દેશ આવુ કરવા લાગશે.
સંસદમાં શું હોય છે શૂન્યકાળ
સંસદની કાર્યવાહી દરમિયાન સંસદમાં શૂન્યકાળ અથવા પ્રશ્નકાળનો એક ભાગ હોય છે. આ ટાઈમ રાજ્યસભા અને લોકસભામાં અલગ અલગ હોય છે. જો લોકસભાની વાત કરીએ તો, લોકસભાની કાર્યવાહીમાં પ્રથમ કલાક (11થી 12 વાગ્યાનો સમય) પ્રશ્નકાળ કહેવાય છે. પ્રશ્નકાળ દરમિયાન સભ્ય પ્રશાસન અને સરકારના કામકાજ પ્રત્યે સવાલો પૂછે છે. પ્રશ્નકાળ દરમિયાન સરકારને સવાલ પૂછતા તે વિભાગના દરેક મંત્રીને સંબંધિત વિભાગથી પ્રશ્ન પૂછે છે.