2 વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોનાં મૃત્યુ થયાના આંકડા વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર થયા બાદ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
સિંહના મૃત્યુ પાછળ તેમણે સરકારના ફોરેસ્ટ વિભાગને જવાબદાર ગણાવ્યો હતો.તેમણે ફોરેસ્ટ વિભાગ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સિંહો માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવામાં આવતી નથી પરિણામે સિંહોના મોત થઈ રહ્યા છે.જો સરકાર ધ્યાન નહીં આપે તો એશિયાટિક સિંહ ભવિષ્યમાં લુપ્તતાને આરે આવી જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સિંહોના કેટલા મોત થયા છે તે અંગે આજે વિધાનસભામાં પ્રશ્નો પૂછવામાં આવેલ જેના જવાબ રૂપે 184 સિંહોના છેલ્લા 2 વર્ષમાં મોત થયા હોવા અંગે ખુલાસો થયો હતો.જો કે ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાતથા અન્ય એક ધારાસભ્યે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.