કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી Manish Tiwari એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પોતાના પુસ્તક 10 Flash Points 20 Years માં આ ધડાકો કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર કાર્યવાહી ન કરવા બદલ મનમોહન સિંહ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મનીષ તિવારીએ પોતાના પુસ્તકમાં અગાઉની કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તમે મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરીને તમે તમારી નબળાઈ બતાવી છે.
પુસ્તકમાં તેમણે લખ્યું છે કે મનમોહન સિંહ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈતી હતી. તેણે લખ્યું કે એક સમય એવો આવે છે જ્યારે એક્શન શબ્દો કરતાં વધુ બોલે છે. 26/11 એ સમય હતો જ્યારે કડક કાર્યવાહી થવી જોઈતી હતી. એટલું જ નહીં, મનીષ તિવારીએ પોતાના પુસ્તકમાં મુંબઈ હુમલાની તુલના અમેરિકાના 9/11 સાથે કરી હતી અને કહ્યું હતું કે ભારતે પણ તે સમયે અમેરિકાની જેમ જ બદલો લેવો જોઈતો હતો. તમને જણાવી દઈએ કે પુસ્તકનું નામ છે 10 flash point 20 years
20 વર્ષમાં ભારતમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ
પુસ્તક વિશે મનીષ તિવારીએ કહ્યું, “જાહેરાત કરતાં આનંદ થાય છે કે મારું ચોથું પુસ્તક ટૂંક સમયમાં બજારમાં આવશે. તેમણે કહ્યું કે આ પુસ્તક છેલ્લા 20 વર્ષમાં ભારતે જે મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કર્યો છે તેનું વર્ણન કરે છે.
ભૂતકાળમાં પણ કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવતા રહ્યા છે.
મનીષ તિવારી પહેલા પણ કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. તેમણે કન્હૈયા કુમારના કોંગ્રેસમાં પ્રવેશ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે પંજાબમાં રાજકીય અસ્થિરતા પર પણ સવાલો ઉભા કર્યા હતા
ભાજપના પ્રવક્તાએ શું કહ્યું જુઓ
મનીષ તિવારીના પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે તેના પર ભાજપે પણ કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે મનીષ તિવારીએ 26/11 પછી યુપીએ સરકારની નબળાઈની યોગ્ય ટીકા કરી છે. તેમણે લખ્યું કે એર ચીફ માર્શલ ફલી મેજરે પણ કહ્યું હતું કે આ હુમલા બાદ એરફોર્સ કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ યુપીએ સરકારે તેની મંજૂરી આપી ન હતી.