કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોષીયારાએ ભાજપ મંત્રી નિમિષાબેન પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે તેઓ ખોટું સર્ટિફિકેટ બનાવીને મંત્રી બન્યા છે. સાથેજ તેમની સામે તપાસની પણ માગ કરી છે.
કોંગ્રેસ નેતાએ ભાજપ મંત્રી નિમિષાબેન પર કર્યા ગંભીર આક્ષેપ
કહ્યું ખોટુ સર્ટિફિકેચ બનાવીને તેઓ મંત્રી બન્યા છે
સમગ્ર મામલે તપાસ થાય તેવી કોંગ્રેસની માગ
કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોષીયારા દ્વારા ભાજપના મંત્રી નિમિષા બેન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમા તેમણે એવું કહ્યું કે નિમિષા બેન ખોટું સર્ટિફિકેટ લઈને મંત્રી બન્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ લગાવેલા આક્ષેપને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
પિતાએ ખોટું સર્ટિફિેકેટ બનાવ્યું હોવાનો આક્ષેપ
આપને જણાવી દઇએ કે નિમિષા બેનને ભાજપમાં મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. સમગ્ર મામલે ધારાસભ્ય ડૉ અનીલ જોષીયારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નિમિષા બેનના પિતાએ ખોટું સર્ટિફિકટ લઈને વગડિયા ભીલ લખાવ્યું હતું. જોકે આ નિવેદનને લઈને હજું પણ મંત્રી નિમિષાબેન દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું
પટેલમાંથી સુથાર થયા હોવાનો આક્ષેપ
વધુંમાં ધારાસભ્યએ આક્ષેપ કરતા એવું કહ્યું છે કે કોઈ પણ આદિજાતીનું સર્ટિ પોતાના જિલ્લામાંથી લેવાનું હોય છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે નિમિષા બેન વગડિયા બાદ પટેલિયા થયા અને સુથાર થયા છે. જેથી સમગ્ર મામલે તેમણે એવું કહ્યું છે કે નિમિષા બેનના પ્રમાણ પત્ર અંગે યોગ્ય તપાસ પણ થવી જોઈએ. સાથેજ તેમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે નિમિષા બેનના પિતા મામલતદાર હતા. જેથી તેમણે ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવ્યું હતું.
પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર
ઉલ્લેખનીય છે કે બીજી તરફ આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોટા આરોપ લગાવતા જણાવ્યું કે કોરોના મહામારી જનતાને બચાવવાના પ્રયાસોને બદલે 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમો યોજ્યા જેના કારણે કોરોના વકર્યો હતો. કોરોનામાં સરકારની કામગીરી નબળી જોવા મળી હતી ક્યાંક કોરોના કાળમાં દવાખાનામાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી તો ઓક્સિજન બોટલોનો અભાવ પણ જોવા મળ્યો,તેમજ પરેશ ધાનાણીએ સાબરકાંઠામાં કોવિડમાં મુત્યુઆંકની વાત ખોટી રીતે રજૂ કરાઈ હોવાના આક્ષેપ સાથેવિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અને આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં તફાવત હોવાનું જણાવ્યું હતું.