અધીર રંજન ચૌધરીએ બીજેપીને ફટકાર લગાવતા કહ્યું, રામના પુજારીનું તે અપમાન કરી રહ્યા છે
બીજેપી સાંસદ અનંત હેગડેએ એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહને ડ્રામા કહ્યો હતો
અધીર રંજન ચૌધરીએ કહ્યું, ''આજે તે મહાત્મા ગાંધીને ગાળો આપે છે, તે રાવણની ઓલાદ છે. રામના પુજારીનું તે અપમાન કરી રહ્યા છે''. નોંધનીય છે કે, આ મુદ્દા પર બીજેપી પૂર્ણ રીતે બેકફૂટ પર છે અને આલાકમાને બીજેપી સાંસદ અનંત હેગડેને તાત્કાલિક માફી માંગવા કહ્યું હતું.
નોંધનીય છે કે, કર્ણાટકથી બીજેપી સાંસદ અનંત હેગડેએ એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહને ડ્રામા કહી દીધો હતો. સાંસદ અનંત હેગડે પૂર્ણ સ્વતંત્રતા આંદોલનને અંગ્રેજોની સહમતિ અને સમર્થનની સાથે સ્ટેજ કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓેએ કહ્યું,' આમાંથી કોઇ પણ કથિત નેતાને પોલીસ માર્યા નહોતા, તેમનું સ્વતંત્રતા આંદોલન એક મોટું નાટક હતું. આ નાટક અંગ્રેજોની મંજૂરીની સાથે કરાયું હતું. આ વાસ્તવિક લડાઇ નહોતી.'
બીજેપી સાંસદ અનંત હેગડેએ મહાત્મા ગાંધીની ભૂખ હડતાળ અને સત્યાગ્રહને પણ 'નાટક' બતાવ્યું હતું. હવે હેગડેના આ નિવેદન પર બીજેપી આલાકમાન નારાજ છે અને સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે, તેમને ફટકાર લગાવાઇ છે સાથે જ આ નિવેદન પર વિના શરત માફી માંગવા પણ કહેવાયું છે. પાર્ટી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના નિવેદનને સ્વીકારી ન શકાય.
Adhir Ranjan Chowdhury, Congress in Lok Sabha: Aaj ye Mahatma Gandhi ko gaali dete hain. Ye ravan ke aulad hain. Ram ke pujari ka ye apmaan kar rahe hain. pic.twitter.com/Bg5JYLJmyN
ભાજપના નેતા અનંત હેગડેના આ વિવાદીત નિવેદન પર કોંગ્રેસે માંગ કરી હતી કે પૂર્વ કેન્દ્રીય મંત્રી હેગડેની વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવામાં આવે અને તેમના નિવેદનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઇએ.