ભાજપનું 200 બેઠકમાં ફિંડળુ વળી જશે અને એનડીએ 230 બેઠકો પર અટકી જશે, જ્યારે કોંગ્રેસ 140 બેઠકો પર જીતી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ બેઠકો જીતી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીના એગ્ઝિટ પોલમાં ભાજપના સાથી પક્ષોની સરકાર બનતી જોવા મળી રહી છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા પણ પોતાનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. એક્ઝિટ પોલના અનુમાનોને લઇને ભાજપમાં જશ્નનો માહોલ છે તો વિપક્ષ તેને નકારી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 200 બેઠક નીચે આવશે અને એનડીએ 230 બેઠક પર અટકી જશે, જ્યારે કોંગ્રેસને 140 બેઠક જીત મળશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ બેઠક જીતી રહ્યું છે.
પાર્ટીના આ આંતરિક સર્વેના હિસાબે કોંગ્રેસને આશા છે કે યૂપીએ તમિલનાડુ, કેરળ અને પંજાબમાં સારૂ પ્રદર્શન કરશે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારૂ પ્રદર્શન કરશે.
કોંગ્રેસનો આંતરિક સર્વે: ક્યા રાજ્યમાં કેટલી બેઠકો મળશે?
રાજ્ય - UPAની બેઠક
બિહારઃ 15
મહારાષ્ટ્રઃ 22-24
તમિલનાડુઃ 34
કેરળઃ 15
ગુજરાતઃ 7
કર્ણાટકઃ 11-13
બંગાળઃ 2
મધ્યપ્રદેશઃ 8-10
હરિયાણાઃ 5-6
રાજસ્થાનઃ 6-7
ઉત્તરપ્રદેશઃ 5
દિલ્હીઃ 2
પંજાબઃ 9
ચંદીગઢઃ 1
છત્તીસગઢઃ 9
ઓડિશાઃ 2
તેલંગાણાઃ 2
જમ્મૂ-કાશ્મીર: 2
હિમાચલ પ્રદેશ: 1
ગોવા: 1
ઝારખંડ: 5
ઉત્તરાખંડ: 2
પૂર્વોત્તરરાજ્યો: 9-10
રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇવીએમ પર ઉઠેલા સવાલ વચ્ચે પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે, આગામી 24 કલાક મહત્વના છે. સતર્ક અને ચોકન્ના રહેજો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો. ફર્જી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ન થાઓ. ખુદ પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય.
कांग्रेस पार्टी के प्रिय कार्यकर्ताओं ,
अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी।