સુરતના પાંડેસરા ખાતે નવનિર્મિત બાંધકામના 14માં માળેથી નીચે પટકાતાં 2ના મોત, 6 વ્યક્તિ સામે મનુષ્ય વધનો ગુનો નોંધી 4ની ધરપકડ
સુરતના પાંડેસરાની ઘટના
બાંધકામ સાઇટ પર ઘટી દુર્ધટના
14 માં માળેથી પટકાતા 2 કારીગરોના મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે નવનિર્મિત બાંધકામમાં 14 માં માળે લિફ્ટનું કામકાજ કરતાં હતાં. તે દરમિયાન એક યુવાનનું સંતુલન ખોરવાયું હતું અને સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો. એક યુવાન નીચે પડતા તેમને બચાવવા માટે પાછળ ગયેલો યુવાનનું પણ સંતુલન ખોરવાતા તે પણ 14માં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનાના મૃતક આકાશ બોરસે અને નિલેશ પાટીલ આ બિલ્ડીંગમાં કામ કરતા હતા.જોકે આ યુવાનો બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો પહેર્યા નહીં હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે આ ઘટનામાં 6 લોકો સામે મનુષ્ય વધ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી..જેમાં 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
કઈ રીતે ઘટના બની હતી?
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં નવનિર્મિત બાંધકામના 1 માં માળે બે યુવાનો લિફ્ટ ચેમ્બર એન્ગલ લગાવવાનું કામ કરતા હતા તે દરમ્યાન એક યુવક નું સંતુલન ખોરવાતા નીચે પટકાઈ રહ્યો હતો તેને બચાવવા જતા બીજા યુવક નું પણ સંતુલન ખોરવાયું હતું અને બને 14માં માળેથી સીધા નિચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા અને ઘટના સ્થળે જ બનેના કમકમાટીભર્યા મોત થયા હતા.બંને કામદારો મહારાષ્ટ્રના નંદુરબારના વતની હતા.
6 લોકો સામે મનુષ્ય વધનો ગુનો
બને યુવકો જ્યારે બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો પહેર્યા નહીં હોવાનું સામે આવ્યું હતું જ. પોલીસે જવાબદાર બિલ્ડર ,કોન્ટ્રાકટર, સુપરવાઈઝર ,મેનેજર અને સાઈટ સાંભળનાર કુલ 6 લોકો સામે મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલોસે તમામ 6 લોકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે કોન્ટ્રાકટર, સુપરવાઈઝર, મેનેજર અને સાઈટ સાંભળનાર એમ કુલ ચાર લોકોને ઝડપી પાડયા હતા.
મુખ્ય બે બિલ્ડર ફરાર
હાલ બંને મુખ્ય બિલ્ડર પોલીસ પકડથી દુર છે. જેને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે જે રીતે આ ઘટના બની છે તે ઘટના સેફ્ટીના સાધનો ન પહેર્યા હોવાને ઘટી છે જેમાં 2 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ 14 સપ્ટેમ્બરના રોજ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ પણ ફટકારાઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર પણ ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.