ભરૂચના કલેક્ટરને દસમામાં માત્ર પાસિંગ માર્કસ મળ્યા હતા. પરંતુ તેમની મહેનત અને લગનથી તે કલેક્ટર બનવામાં સફળ રહ્યા.
ભરૂચના ક્લેક્ટરને ધોરણ-10માં માત્ર પાસિંગ માર્કસ મળ્યા
મહેનત અને લગનથી તે કલેક્ટર બનવામાં સફળ રહ્યા
તુષાર સુમેરાને B.Ed કર્યા બાદ ટીચરની નોકરી મળી હતી
અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી. એ પંક્તિને સાર્થક કરી છે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ. તુષાર સુમેરાએ દસમામાં માત્ર પાસિંગ માર્કસ મળ્યા હતા. પરંતુ તેમની મહેનત અને લગનથી તે કલેક્ટર બનવામાં સફળ રહ્યા. છત્તીસગઢ કેડરના IAS અધિકારી અવનીશ શરણે ટ્વીટ કર્યું કે, ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ તેમની 10મી માર્કશીટ શેર કરતી વખતે લખ્યું કે, તેમને 10માં માત્ર પાસિંગ માર્કસ મળ્યા છે. તુષાર સુમેરાએ 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 ગુણ મેળવ્યા છે.
હું કહ્યું IAS અવનીશે ?
IAS અવનીશે વધુમાં જણાવ્યું કે, તુષાર સુમેરાના પરિણામને જોઈને આખા ગામમાં જ નહીં પરંતુ તેની સ્કૂલમાં પણ કહેવામાં આવ્યું કે તે કંઈ કરી શકે તેમ નથી. પરંતુ તુષારે સખત મહેનત અને લગનથી એવું સ્થાન હાંસલ કર્યું કે, ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ. IASએ તેમને લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યા છે.
— Tushar D. Sumera,IAS (@TusharSumeraIAS) June 11, 2022
કલેક્ટર તુષાર સુમેરાએ પણ આભાર માન્યો
IAS અવનીશ શરણના આ ટ્વિટ પર, ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ 'થેન્ક યુ સર' લખીને જવાબ આપ્યો છે. આ પોસ્ટ પર તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે પ્રતિભા મહત્વની છે, ડિગ્રી નહીં. અન્ય યુઝરે લખ્યું- ક્ષમતા માર્ક, ગ્રેડ કે રેન્ક નક્કી કરતી નથી. અન્ય એક વ્યક્તિએ લખ્યું- જો તમારામાં દ્રઢતા હોય તો કંઈપણ અશક્ય નથી.
કોણ છે કલેક્ટર તુષાર સુમેરા ?
તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા કામો અંગે ટ્વિટર પર તુષાર સુમેરાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે,હાઈસ્કૂલમાં માત્ર પાસિંગ માર્કસ લઈને પાસ થયેલા તુષારે ઈન્ટર વિથ આર્ટસ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો હતો. બાદમાં B.Ed કર્યા બાદ તેને ટીચરની નોકરી મળી હતી.